SearchBrowseAboutContactDonate
Page Preview
Page 641
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્યયાય. વ્યતિરેકજ થશે. અમે પણ પ્રાચીન મતાનુસાર વ્યતિરેક પ્રકરણમાં લખેલ છે કે સમાન વસ્તુઓના પૃથક ભાવમાં વ્યતિરેક અલકાર થાય છે; પરન્તુ આહીં વિચાર કરવાથી આવા વૈધ ના પશુ વ્યતિરેકમાં અંતર્ભાવ છે. કેમકે ધારીના માનેલ અભેદ્ય અલંકારના વિપરીત ભાવમાં ભેદ અલકાર થવાની ચેાગ્યતા છે, અને ભેદ અને વ્યતિરેક એક છે. મહારાજા ભાજે વ્યતિરેકનુ નામ “ ભેદ ” પણ કહેલ છે. એથી આહીં વૈધર્મીનુ પવસાન અયથાયેાગ્યતામાં હોવાથી વિષમ ગણંજાર છે. ૫૮૨ व्यत्यास. ત્યાત” શબ્દના અર્થ વિપર્યય છે. પ્રાચીન “ વ્યત્યાસ નામના અલંકારાન્તર માને છે. રત્નાકરકાર આ લક્ષણુ ઉદાહરણ આપે છેઃ—— "" दोषगुणयोरन्यथात्वं व्यत्यासः । દોષ અને ગુણનુ અન્યથાપણું અર્થાત્ દેશનું ગુણુ થઈ જવુ અને ગુણનુ દ્વેષ થઇ જવું એ વ્યાસ અલકાર છે. આ દેશ અને કાળભેદથી ચાર પ્રકારના છે. થા. મંગલ મરણ વિરહિણી જનતુ. અન્ય નાયિકારૂપ દેશમાં મરણુ અમંગલરૂપ દાષ છે. વિરહિણી નાયિકારૂપ દેશમાં મરણુ મગલરૂપ ગુણ થઇ જાય છે. યથા. યેાગીમાં સમદ્રષ્ટિ ગુણુ, અને ભૂપમાં દોષ. ચાગીરૂપ દેશમાં સમદ્રષ્ટિતા ગુણુ છે એ રાજારૂપ દેશમાં દોષ થયું જાય છે. યથા. અવર સમય ભૂષણુ ક્ષમા, જાહિર જાણા આપ; પશ્તિવ સમય પરાક્રમ, ઉરમાં આણેા આપ. પુરૂષમાં અન્ય સમયમાં ક્ષમા ભૂષણ છે, એ અપમાન સમયમાં ક્ષમા દૂષણ થઈ જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy