SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્યશાસ્ત્ર, ૫૦૦ અર્થ અન્વયનો અભાવ છે. અન્વય તે પદાર્થોને પરસ્પર સબંધને કહે છે. ઘણા પ્રાચીને અનન્વય નામને અલંકારાંતર માને છે. કાવ્યપ્રકાશગતકારિકાકારનું આ લક્ષણ છે. " उपमानोपमेयत्व एकस्यैवैकवाक्यगे अनन्वयः એકનો જ ઉપમાનેપમેયભાવ એક વાક્યમાં હોય ત્યાં નવા ગઈવર છે. સર્વસ્વકાર” આ લક્ષણ આપે છે – एकस्यैवोपमानोपमेयत्व अनन्वयः ॥ એકની ઉપમાને પમેયતા થાય ત્યાં ગનવા ચક્કાર છે. કાવ્યપ્રકાશગતકારિકાકારે પરસ્પરોપમાના નિવારણ માટે લક્ષણમાં એક વાક્યને નિયમ કરેલ છે. “સર્વસ્વકારે” કરેલ નથી. ચન્દ્રાલેકકારાદિ સમસ્ત એના અનુગામી છે સર્વ એનું આવું ઉદાહરણ આપે છે. યથા ઘુતિધર દીન દયાલ દ્રરિદ્રહર, આપ તુલ્ય આપજ છે ઈશ્વર આમાં એજ ઈશ્વરમાં એજ ઇશ્વરની ઉપમા અન્વય નથી બની શકતે એથી અહીં ગનન્ના બાર છે. એ ઉકત અન્વયનું બનવું દૂષણ છે ત્યારે આવા સ્થલમાં દ્વિતીય સદશ વ્યવદની વિવક્ષા કરે છે. ભામહે આ પ્રમાણે કહેલ છે – यत्र तेनैव तस्य स्यादुपमेयोपमानता । असादृश्यविवक्षातो वदन्ति तमनन्वयम् ।। જ્યાં અસાદસ્થ વિવક્ષાથી એની સાથે એની જ ઉપમાનેપમેયતા હોય એને ગનન્વય અહંકાર કહે છે. પ્રાચીનના મત પ્રમાણે રસગંગાધરકાર કહે છે કે અનન્વયમાં અસમતા વ્યંગ્ય છે તે પણ અનન્વય રૂપ ચમત્કાર પ્રધાન હોવાથી અલંકારાન્તર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy