SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ નિદર્શના. ૪૧૧ યથા ચાંદની ચન્દ્રની સંગે, ઘનસંગે જાયે વિદ્યુત ચાલી, પતિસહ ગમન પ્રિયાનું, જડ પણ જાહિર દે છે બતલાવી. આમાં ચાંદની અને વિદ્યુત સ્ત્રીઓના પતિસહ ગમનધર્મને સ્વયં કરી બતાવે છે, એથી નિતના છે. ઉદય પામીને તતક્ષણ દિનપતિ, અરપે શ્રી પોપંક્તિપ્રતિ, છે વૈભવફલ સુહદઅનુગ્રહ, અનુભવ એહ કરાવે જગ સહ. આહીં ઘેરીની એ વિવેક્ષા છે કે વૈભવનું ફલમિત્ર ઉપર અને નુગ્રહ કરે એ છે. આ ઉપદેશને સૂર્ય ભગવાન ઉદય થતાંજ પિતાના મિત્ર કમલેને શ્રી અર્થાત્ શેભા દેવા દ્વારા પોતે કરી દેખાડે છે. આ ઉદાહરણમાં ઉદય થતાં જ કમલેમાં શ્રી અરપણ કરવારૂપ અર્થાન્તરમાં પ્રવૃત્ત થએલ સૂર્ય ભગવાનને વૈભવનું ફલ મિત્રે પ્રતિ અનુગ્રહ કરે એ છે. આ અર્થાન્તર દેખાડ્યો છે. આમ સમજીને આચાર્યદંડી આ લક્ષણ આપે છે – . अर्थान्तरप्रवृत्तेन किंचित्तत्सदृशं फलम् । सदसद्वा निदर्यंत यदि तत्स्यानिदर्शनम् ।। અર્થાન્તરમાં પ્રવૃત્ત થએલ કર્તાથી જે સત્ અથવા ભલા, અને અન્ય સત્ અર્થાત્ બુરા કોઈ પણ એ અર્થાન્તરના સદશફલ નિવડ્યેત અર્થાત્ બતાવવામાં આવે છે, એ નિતના અલંકાર છે. આચાર્ય દંડીએ આવું સમજીને “નિ” ઉપસર્ગને ભિન્ન અર્થ નથી કર્યો. જે અર્થ દર્શન શબ્દને છે એજ નિદર્શન શબ્દનો અર્થ રાખેલ છે. અને અન્ય કરતાં અન્ય દેખાડવામાં રૂઢિ માની છે. નિદર્શના સ્ત્રી લિંગ છે. અને “ નિર્શન” નપુંસકલિંગ છે. આ લિંગ માત્ર ભેદ છે. આથી અર્થભેદ થતું નથી. ઉક્ત ઉદાહરણ તે સત્ અથાત્ સારા અર્થમાં છે. અસત્ અર્થના વિષયમાં આ ઉદાહરણ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat વરદા નિલ. તોથી જે સતી તાં www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy