SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્ય છે. 'अर्थान्तरसंक्रमित वाच्य. સીધે અર્થ થતો હોય છતાં કવિ વ્યંગ્ય કાઢી ચમત્કાર પ્રગટ કરે એ ગર્થાન્તરસંબિત થાય, યથા. મેંદી બુદ્દે બાલા, મેહનનું મન હરણ કરી લીધું; હવે કહે શા કારણ, કપટજાલ રચી મહદ મા કીધું. મેંદીના બુન્દથી તે મેહનનું મન હરણ કર્યું એ આમાં સીધો અર્થ છે. છતાં કવિ માત્ર મેંદીના બુન્દજ મન હર્યું છે તે બીજા અલંકારેની તો વાત જ શી કરવી એમ વ્યંગ્યથી ચમત્કાર બતાવે છે. अत्यंततिरस्कृत वाच्य. જ્યાં મુખ્યર્થને બાધ કરી રસમય અર્થ કરવામાં આવે ત્યાં अत्यंततिरस्कृत वाच्य. યથા. કનક રંગ છબિ અંગની, લોચન લલિત ચપળતા ધરનાર; બાલ નેવેલી નિરખી, બન્યા લાલ આનદે ઉરહાર. લાલનું હાર બનવું સંભવતું નથી એથી મુખ્યાર્થીને બાધ કરી સાથે રહેવાનો અર્થ કરવો પડે છે, માટે અત્યંતરિત વસ, ૧ અર્થાતરસંક્રમિત વાચનું સરલ લક્ષણ નીચે પ્રમાણે છે. ઉપાદાન લક્ષણમાં મુખ્યાર્થીને બાધ થતું નથી માટે જ્યાં ઉપાદાનલક્ષણા પ્રજનવતી હેય ત્યાં અર્થાતરસંક્રમિત વાચ્ય અવનિ થાય છે. ૨ અત્યંત તિરસ્કૃતવાચનું સરલ લક્ષણ નીચે પ્રમાણે છે – જ્યાં પ્રજનવતી લક્ષણલક્ષણથી વનિ પ્રકટ થાય ત્યાં અત્યંત તિરસ્કૃત વાવનિ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy