SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દશક્તિઓ. અને ગોકુલમાં કૃષ્ણથી બચવા જેવું છે, કારણ કે તેની પ્રીતિ સબંધી સર્વ કઈ ગપ્પા ઉડાડે છે એ વનિ નીકળતા હોવાથી “પ્રજનવતી”. विपरीतलक्षणलक्षणा યથા. પ્યારા તમે આજ જતાં લાગો છો બહુજ સારા, અધરમાં અંજન રૂપાળું ભરી આવ્યા છે; આજનો દિવસ માનું ધન્ય અન્ય દિવસોથી, ઠાકુરજી આપ શેભા ઠીક કરી આવ્યા છે. મારૂં મન રાજી કરવાને ગાલ માથે તાજી, પ્યારી પીકલીકને વિદે વરી આવ્યા છે; મેહનજી! હેર કરી આજ મારે મન્દિરીએ, માળા ગુણ વગરની ઉરે ધરી આવ્યા છે. વિપરીત એટલે ઉલટું. અહીં પ્યારા એટલે દુષ્ટ, સારા એટલે નઠારા, રૂપાળું એટલે કુરૂપું, ધન્ય એટલે ધિક્કારવા ગ્ય, ભા. એટલે અશોભા અને રાજી કરવા એટલે ખેદિત કરવા એ અર્થ થાય છે, માટે વિતરક્ષા સમજવી. प्रयोजनवती उपादानलक्षणा सारोपा. યથા. સુણી આપણું દૂરથી વાઘડંકા, ગયા દુર્ગમાં શત્રુઓ ધારી શંકા; ધરે પાય ધીરે રિપુ જોઈ જાશે, દુનાલીતણે ઠાઠ તે મુંડી થાશે. અહીં બંદૂકને ઠાઠ સઘનતાને અર્થ સૂચવે છે, માટે પ્રયોગનવતી. બંદૂક છે એટલે સાથે તેના ઉપાડનારા પણ હોવા જેઈએ, એ ઉપરથી અર્થ નિકળે છે એથી ઉપવન રક્ષક વળી બંદૂક આવિષય અને ઠાઠ આપ્યમાન હોવાથી સાપ થાય છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy