SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ જનક અર્થ નું આસ્વાદન કરવાની ચેાગ્યતા સાહિત્યશાસ્ત્રના જ્ઞાનથી રહિત જનેામાં આવતી નથી. અને તેથીજ આવાં શાસ્ત્ર ગુજરાતી ભાષા જાણનારને એક વરપ્રદાન તુલ્ય પ્રયાજનનું સાધક નવા ચેાગ્ય છે. આ કાલમાં ગ્રન્થકાર મનવાની લાલસાવાળા જનસમુદાય મ્હોટા પ્રમામાં આગળ આવતા જણાય છે. ચાર છ પાનાનું મચ્છમાં આવે તેવું કંઈ લખાણ કરીને તે પાવી લોકેામાં વહેંચવામાં આવે છે, જેનુ પરિણામ તે વક્તે એવું આવે છે કે લોકોના મુખથી પ્રશંસા સાંભળવાની આશા તેવા ગ્રન્થકારાને નિંદા સાંભળીને પૂરી કરવી પડે છે અને વળી છાપખાનાના મીલના પૈસા ભરતી વખ્ત માઢામાં દ્રિયવને ( અંદરજવને ) સ્વાદ અનુભવવા પડે છે. આવા ઉતાવળા લેાકાને આવા કાવ્યશાસ્ત્ર જેવા ગ્રન્થા કવિતા શું ? અને લાકવૃત્તિનું આરાધન કરવાના પ્રકાર કયા ? ’ એ સમજાવી તેઓને અયથાર્થ વિવૃત્તિના શ્રમથી તથા વ્યર્થ ખર્ચથી ખચાવશે અને ઇશ્વરદત્ત પ્રતિભાશાલી પુરૂષોને જનમનાર જક નિર્માણ કરવામાં માર્ગદર્શક મની જગતમાં :ઉત્તમ કાવ્યાની પ્રવૃત્તિને જાગૃત કરવા સમર્થ થશે. આ કાવ્યશાસ્ત્રના પ્રણેતાએ કાવ્યાદર્શ, કાવ્યપ્રકાશ, સાહિત્યદર્પણ, કુવલયાનંદ, સરસ્વતી-કાભરણું વગેરે સંસ્કૃત સાહિત્ય ગ્રન્થાના આ નિબધ લખવામાં આશ્રય લીધો જણાય છે. જેથી વાંચનારને જૂદા જૂદા સાહિત્યવિદ્ પુરૂષાના વિચારાની વિવિધતા સમજવાને ઘણીજ ઉપયોગી ચર્ચાના ખારાક મળી શકે તેમ છે તથાપિ નિષ્કૃતાર્થ સમજાવવાને કવિએ પ્રાયઃ ધણેખરે ઠેકાણે કાવ્યપ્રકાશ અને કુવલયાનંદનું વિશેષ અવલંબન કરેલ છે જે સર્વથા ઉચિતજ છે. વળી ઘણા અંશ મારવાડ · જૈધપુરના જશવંતજશેાભૂષણ ' ગ્રન્થમાંથી લીધેલા પ્રતીત થાય છે. જો કે રસનિરૂપણ તથા કાવ્યના ગુણદોષનાં લક્ષણાદાહરણ વગેરે પ્રસ ંગામાં એને માટે વચનીયતા નથી પર ંતુ એ ગ્રન્થ ( જશવંતજશાભૂષણ ) ના મુખ પૃષ્ટ ઉપર આપેલાઃ— * " भोज समय निकसी नहि भरतादिककी भूल । सो किसी जसवंत समय भये भाग्य अनुकूल ॥ જે ભરતાદિકની ભૂલ ભાજ જેવાના સમયમાં ન નીકળી તે આજે જસવત સમયમાં નીકળી એથી ભાગ્ય અનુકૂલ થયું” (કાનું? ) આ દુહાને આગળ ધરી અલકારનાં નામનેજ લક્ષણરૂપ માની લક્ષણશાસ્ત્રને પુનરૂક્તની પક્તિમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy