SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્ય શાસ્ત્ર, ણીયતાના ભાવાભાવથી કાવ્ય માને, યા ન માને, પણ આ લક્ષણ બને અવસ્થામાં ઠીક રહે છે. હવે જે કોઈ કહે કે પદ્યબંધાદિમાં રમણીયતા તે છે, પણ અમે એને કાવ્ય માનતા નથી. કેમકે એની રમણીયતા એક ભિન્ન પ્રકારની જ છે, જે કે કૌતુક માત્ર કહેવામાં આવે છે. તે એને એટલે જ ઉત્તર આપ ઉચિત છે કે જે રમણથતા હોવા છતાં તથા ભિન્ન ભિન્ન કવિઓના માન્યા છતાં પણ આપ જગન્નાથ પંડિતરાજની પેઠે એને કાવ્ય નહીં માને તો આપને રસગંગાધરનું લક્ષણ શ્રેષ્ઠ છે. આપ ભલે એને માને પણ અમારી સમજમાં જે એમાં રમણીયતા છે, તો તે પણ કાવ્યની ગણતીમાં છે. આ વાત ઉપર સારી રીતે ધ્યાન આપવું જોઈએ કે રમણીય શબ્દનો પ્રયોગ અમારા લક્ષણમાં એ અર્થમાં કર્યો છે, કે જે અર્થ એને પંડિતરાજે કર્યો છે, એટલા માટે જે કઈ કહેશે કે “તમને ધન મળશે” “તમને પુત્ર પ્રાપ્ત થયેલ છે” ઈત્યાદિ વાથી પણ આનંદ થાય છે, તે શું એ પણ કાવ્ય ઠરશે? ત્યારે એને ઉત્તર અમે એ આપશું કે “નહિ,” કદાપી નહીં; આ વાક્યમાં કેત્તર આલ્હાદ” નથી, આનો આનંદ તો સાધારણ લોકિક વિષયાનંદ છે. એટલા માટે આમાં કાવ્યત્વ નથી. હવે એ વાતને વિચારવી જોઈએ કે આલ્હાદમાં લોકોત્તરત્વ શું છે એ એક એવી કઠિણ અને અનીય વાત છે કે લેખ અથવા વાકય દ્વારા આનું યથાર્થ રીતથી સમજાવવું અસાધ્ય છે. જેમ કોઈએ કઈ વસ્તુને સ્વાદ ન ચાખ્યો હોય તે એને એના સ્વાદનું જ્ઞાન શબ્દ દ્વારા નહી કરાવી શકાય. અને જે એણે ચાખે હેય પણ એમ ન જાણતા હોય કે એ શબ્દને વાચક અમુક શબ્દ છે તે પણ એને બેય એને શબ્દદ્વારા નથી થઈ શકતે, તેમ જે કેઈએ આલ્હાદને અનુભવ કર્યો જ ન હોય તે આહ્લાદ શું પદાર્થ છે એ એને કદિપણ નહી સમજાવી શકાય. અને જે એણે એ માનસિક દશાને અનુભવ કર્યો હોય પણ એમ ન જાણતા હોય કે આને આહુલાદ કહે છે તે પણ એ દશાને બેય એને શબ્દો દ્વારા નહીં કરાવી શકાય. અને એ પણ બીજાને તેનું જ્ઞાન નહી કરાવી શકે. આ વાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy