SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન મતાનુસાર કાવ્ય લક્ષણ. તેની આગળ બ્રહ્માનન્દ સ્વાદને જે અનુભવે તેને ચતુર કવિઓ એ મત ઉરમાં સમજીને નિર્વાદ કાવ્ય કહે છે. આ લક્ષણના વિષયમાં કાંઈ કહેવું સાંભળવું વ્યર્થ છે. આ તે કેઈના પૂછ્યા વિના પોતેજ પોકાર કરી કહી દે છે, કે હું કાવ્યનું લક્ષણ નથી. “બ્રહ્માનઃ સવાર” કાવ્ય કેવી રીતે થઈ શકશે? કાવ્ય એક પ્રકારનું વાકય છે. સ્વાદને કાવ્ય કેવી રીતે કહી શકાય ? જે આ કઈ પદાર્થનું શુદ્ધાશુદ્ધ લક્ષણ થઈ શકતું હોય તે રસને સ્વાદ અથવા રસ કાવ્યથી પ્રાપ્ત થાય છે. આ સંબધથી રસયુકત કાવ્યમાં સ્વાદનું હોવું માનવામાં આવે છે. તે પણ સ્વાદ માત્રને કાવ્ય નહી કહી શકાય. સભા પ્રકાશનું લક્ષણ એક તથા સાહિત્ય પરિચયના ચાર લક્ષણ ઉપર વિચાર કર્યા પછી બીજી ભાષા ગ્રન્થમાંના લક્ષણે ઉપર કાંઈ લખવાની આવશ્યકતા જણાતી નથી. કેમકે બીજા જે લક્ષણે છે તેમાં ઉપરનાં લક્ષણોમાં જોવાત કહી છે એમાંથી એક એક બબ્બે અથવા વિશેષ છે. મતલબ એનાથી કાંઈ વિશેષ નથી. માટે જે રસ યુકત વાક્યને જ કાવ્ય માનીએ તે પણ રસ આધેય માત્ર થ. સંસ્કૃતના પ્રધાન ગ્રન્થમાંથી કાવ્યપ્રકાશમાં દીધેલા લક્ષણ ઉપર આપણું આશય સાહિત્યપરિચયના પ્રથમ લક્ષણ ઉપર જે લેખ લખી ગયા એમાં પ્રકટ કરી ચુક્યા છીએ. સાહિત્ય દર્પણમાં કાવ્યનું લક્ષણ આ પ્રમાણે છે. वाक्यं रसात्मकं काव्यम्. જેવાક્યને આત્મા રસ હેય એ કાવ્ય. આ લક્ષણ છે કે બીજાં કેટલાંક લક્ષણ ઉપર કહ્યાં છે, એ સર્વમાંથી શુદ્ધ અને ઉત્તમ છે, તથાપિ આના વિરૂદ્ધ એટલી વાત કહી શકીએ છીએ જે સાહિત્ય પરિચયના ત્રીજા લક્ષણના “ સંયુત માં વિશેષણ ઉપર કીધી છે. જગન્નાથ પંડિતરાજે ૨સગંગાધરમાં આ લક્ષણ લખ્યું છે – रमणीयार्थप्रतिपादकः शब्दः काव्यम् - રમણીય અર્થને પ્રગટ કરવાવાળે શબ્દ કાવ્ય છે. અને રમણીયનો અર્થ પંડિતરાજે આ પ્રમાણે કર્યો છે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy