SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ સંયુકવ. २० થવા લાગી, તે પછી તે બેઇદ્રિય વગેરે શરીરમાં આવે છે. ત્યાં તેને પ્રાણ અને પર્યામિ તથા ઈદ્રિય અને શરીરની વૃદ્ધિ થવા લાગે છે. આથી તે પિતાના શુભાશુભ અધ્યવસાયને લઈને ઉંચી અથવા નીચિ સ્થિતિમાં આવ જા કરે છે. જે તે કોઈપણ જાતના હિંસાદિક દેષ કરે છે, પાછો દદ્રિયમાંથી એકેદ્રિયમાં આવે છે. અને સામાન્ય પણે રહે તો, તે દ્વિ દ્રિયપણામાં જ રહે છે. તે સ્થિતિમાં રહેતાં જ તેને છેદન ભેદનરૂપ અકામ નિર્જરા થાય. તે તેના વેગથી તે જીવ ઉચે પણ આવે છે. અહિ વિકલૅક્રિયથી એકે દ્રિયમાં જાય છે. અને એ. દ્રિયથી વિકસેંદ્રિયમાં જાય છે. એ રીતે તેને અનંત ફેરા ફરવા પડે છે. એક એક ફેરામાં પ્રાયે કરીને અનંતકાળ વહન થઈ જાય છે. હે શિષ્ય, એમ કરતાં કરતાં જીવ ઉચી ઉચી સ્થિતિમાં આ વી જાય છે. વિકલૈંદ્રિયમાંથી અકામ નિર્જરાને યોગે તિર્યંચ પંચે દિયમાં આવે છે. અને પછી તે ગર્ભજ મનુષ્ય જાતિમાં આવે છે. જ્યારે તે મનુષ્ય જાતિમાં આવ્યા, ત્યારે તે પ્રબળ અધિકરણી થયેલ ગણાય છે. * આ પ્રમાણે સમ્યકત્વની પ્રાપ્તિ થયા પહેલાં જીવની સ્થિતિ છેય છે. પછી જ્યારે તેનામાં શુભકર્મ ઉદય આવે, ત્યારે તેને સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. હવે સમ્યકત્વ એટલે શું? તે જાણવું જોઈએ. આ સં સારમાં અનાદિ કાળથી મિથ્યાત્વ ચાલ્યું આવે છે. એ મિથ્યાત્વ સ. મકિતની પ્રાપ્તિમાં અંતરાય રૂપ થયા કરે છે. તેથી જીવને સમ્યક મેળવવામાં ઘણી મુશ્કેલી પડે છે. દરેક આર્યજાતિને ધર્મની જરૂર છે. ધર્મના અવલંબન વિના કેઈ પણ જીવ પિતાના કર્તવ્યને જાણી શકતું નથી. એટલે કોઈ પણ જાતનો ધર્મ તેમને ગ્રહણ કરે પડે છે. હવે તેમાં કયે ધર્મ શ્રેષ્ઠ છે? અને કયા ધર્મમાં રહેવાથી જીવ માનસિક અને શારીરિક સમાધિ પ્રાપ્ત કરી શકે છે? તે તારતમ્ય - વાનું છે. જે ધર્મમાં દેવતત્ત્વ અને ગુરૂતત્વ શુદ્ધ હોય, તે ઉત્તમ ધર્મ ગણાય છે. અને તેવા ઉત્તમ ધર્મની શેધ કરવી અને તેવી શોધ કરવાની નિર્મળ બુદ્ધિ થવી-અને તે પછી તે ધર્મને અંગીકાર કરે તેનું નામ સમક્તિ છે. એટલે શુદ્ધદેવ, શુદ્ધગુરૂ અને શુદ્ધધર્મની પ્રાપ્તિ-એજ સમકિતનું સ્વરૂપ છે. ગૃશિવે પ્રશ્ન કર્યો-મહારાજ, તમે જે સમકિતનું સ્વરૂપ બતાવ્યું, તે અમારા સમજવામાં આવ્યું છે, પણ એ સમક્તિ મેળવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034527
Book TitleJain Shashikant
Original Sutra AuthorN/A
AuthorLalan Niketan
PublisherLalan Niketan
Publication Year1925
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy