SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧. જૈન શશિકાન્ત. '. તથાપિ તમારી ગુરૂભક્તિ જોઇ હું તે દરદીની પાસે આવુ' છું પ્રમાણે કહી, તે મુનિ જે ઘરમાં તે દરદી પડયા હતા, તે ઘરમાં આવ્યા. પેલા દરદીએ ભક્તિભાવથી ગુરૂને વંદના કરી. ગુરૂએ તેને ધર્મલાભ આશીશ આપી. જેના શરીર ઉપર સેજા ચડેલા છે, એવા તે દરઢીને જોઇ મુનિએ નિઃશ્વાસ મૂકયા. મુનિને નિઃશ્વાસ મૂકતા જોઇ, તે જીહસ્થના હૃદયમાં શંકા ઉત્પન્ન થઇ. તેણે વિનયથી મુનિને પૂછ્યું, “મહાનુભાવ, આ અમારા પુત્રનુ` શુ` અનિષ્ટ થવાનુ છે? આપેતેને જોઈને શામાટે નિ:શ્વાસ મૂકયેા ?” ગૃહસ્થના આવા વચન સાંભળી મુનિ બોલ્યા-શ્રાવક, તમારા હૃદયમાં બીજી શ’કા રાખશેા નહિ. મેં જે નિ:શ્વાસ મૂકયા, તેનું કારણ જુદું છે. તમારો પુત્ર આ વ્યાધિમાં થી મુક્ત થઇ જશે અને તે પાછે સર્વ રીતે સુખી થશે.” મુનિએ આવા વચન કહ્યા, તથાપિ એ વ્હેમીલા વણિકના હૃદયમાંથી તે શંકા દૂર થઇ નહિ. તથાપિ તે મહાત્માના વચન ઉપર વિશ્વાસ આવવાથી તેના મનનું માંડમાંડ સમાધાન થયું હતું. ,, - પછી આહાર લઇને મહાત્મા ત્યાંથી ચાલી નીકળ્યા. પેલા ગૃહસ્થ શક્તિ થઈ તેમની પાછળ ચાલવા લાગ્યા. આગળ જતાં કેાઈ એક પુરૂષ શણગાસ્થી સુશોભિત કરી શૂલીપર ચડાવાને લઈ જતા જોવામાં આવ્યા. તેને જોઇ તે મહાત્માએ પાછા નિઃશ્વાસ મૂક્યો. તે જોઇ પેલા ગૃહસ્થે વિનયથી પૃથુ, ‘ભગવન, આપે આ વધ્યપુરૂષને જોઇ કેમ નિ:શ્વાસ મૂકયે ? આ ઉપરથી મને લાગે છે કે, આપ કાંઇપણ હેતુપૂર્વક નિ:શ્વાસ મૂક્યા છે. મારા રોગી પુત્રને અને વધ્યપુર્ ષને જોઈને આપેજે નિઃશ્વાસ મૂકયા છે, તે ખરેખર હેતુપૂર્વક છે. માટે આપ કૃપા કરી તે વિષે સમજાવે, જયાંસુધી આપ મને સમજાવી નિઃશ’ક કરશે નહિ ત્યાંસુધી હું પાછો ફરવાના નથી, આપની સાથેજ રહીશ,” તે ગૃહસ્થના આવા વચન સાંભળી તે મુનિ ખેલ્યા—“ભદ્ર, સંપ્રતિ આહારના સમય છે. હું આહાર કરી રહ્યા બાદ તમે મારા ઉપાશ્રયમાં આવજો, એટલે હું તમને તે મે કરેલા નિઃશ્વાસનુ` કારણુ સમજાવીશ. ગુરૂના આવા વચન સાંભળી તે શ્રાવક ક્ષણવાર માહેર રહ્યા. જ્યારે મુનિ આહાર કરી રહ્યા, ત્યારે તે પુનઃ ઉપાશ્રયમાં આવ્યે અને વંદના કરી ગુરૂ સમીપે બેઠે. ગુરૂ કહે છે— હું શ્રાવક, હું જ્યારે તમારે ઘેર ભિક્ષા લેવા આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034527
Book TitleJain Shashikant
Original Sutra AuthorN/A
AuthorLalan Niketan
PublisherLalan Niketan
Publication Year1925
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy