SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૩ આ વખતે યતિ શિષ્ય શંકા કરી પૂછયું, “મહારાજ, આપે જે નિર્મળ આત્માનું સ્વરૂપ બતાવ્યું, તે યથાર્થ છે, અને એ આત્મા નિર્લેપ રહી શકે, એ વાત પણ સિદ્ધ થાય છે. પણ જે ક્રિયા કરનાર આત્મા હોય, તે લિપ્ત થાય કે નહીં? એ વિષે મને મોટી શંક છે. મારા સમજવામાં એવું આવે છે કે, કિયાવાન્ આત્મા વિવિધ પ્રકારની ક્રિયાઓને લઈને લિત થયા વિના રહી શકે નહીં. અને જે કિયા રહિત હય, અને જ્ઞાન સંપન્ન હોય, તે હમેશાં નિર્લેપ રહી શકે છે. આ મારી સમજૂતી એગ્ય છે કે નહીં? તે આપ કહે. કારણ કે, સંશયરૂપી ગાઢ અંધકારને નાશ કરવામાં આપ સૂર્યસમાન છે. પિતાના યતિ શિષ્યની આવી શકે સાંભળી ગુરૂ પ્રસન્ન થઈને બેલ્યા–“હે વિનીત અને વિદ્વાન શિષ્ય, તે જે પ્રશ્ન કર્યો છે, તે જાણવા જેવો છે. જે પુરૂષ સર્વદા કિયાવાન હોય, પણ જે તેતપ અને ને શ્રતથી મત્ત થઈ ગયો હોય, તો તે લેપાય છે, તે શિવાય કિયાવાન કદિપણ લેપ નથી. જેનામાં તપ કે શાસ્ત્રનું અભિમાન નથી, તે. સદા કિયા કરતા હોય, તો પણ નિર્લેપ રહી શકે છે. અને જે પુરૂષ ભાવનારૂપી જ્ઞાન કરીને પૂર્ણ હોય, તે પુરૂષ આવશ્યાદિક ક્રિયા કરતે ન હોય, તો પણ લપાતો નથી. આ વખતે શંકિત હદયવાળે યતિ શિષ્ય બેલી ઉઠ–“ભગ વન , ભાવના એટલે શું? એ મને સમજાવે, "ગુરૂ આનંદપૂર્વક બોલ્યા–“પ્રિય અંતેવાસી, સાંભળ, જે પિતાના આત્માને સદ્ધર્મ સ્વસ્વભાવને વિષે વારંવાર પરિણુમાવે, તે ભાવના કહેવાય છે. તેને વી ભાવનારૂપ જ્ઞાને કરી પૂર્ણ એ આત્મા આવશ્યકાદિ કિયા ન કર. તે હોય, તે પણ તે લેપતે નથી–એટલે કમથી બંધાતું નથી. આ ઉપરથી એમ સમજવાનું છે કે, નિર્લેપ આમને સંપાદન કરવા ક્રિયા કરનારા ભવિ પ્રાજ્ઞીએ સર્વથા તપ તથા શાસ્ત્રના મદને ત્યાગ કરવો જોઈએ. ગુરૂનાં આ વચને સાંભળી તે યતિ શિષ્ય હૃદયમાં નિઃશંક થઈ ગયે, અને તેણે પિતાના પવિત્ર ગુરૂને અંતઃકરણથી આભાર માન્ય. પછી ગુરૂ પિતાને ગૃહસ્થ શિષ્યને કેશીને બે યા–“વત્સ, તે જે જૈનપડશાળાના ગુરૂને મુખે નિશ્ચય અને વ્યવહાર નથી આત્માની સલેપ તથા નિર્લેપ અવસ્થા સંભાળી હતી, તે વિષે હું જે કાંઈ ખુલાસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034527
Book TitleJain Shashikant
Original Sutra AuthorN/A
AuthorLalan Niketan
PublisherLalan Niketan
Publication Year1925
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy