SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ સદિચાર. હે શિષ્ય, આથી યતિ અથવા ગૃહસ્થ સર્વદા સુવિચારનું સેવન કરવું. પિતાના ચપળ મનરૂ૫ રથને બળાત્કારથી સન્માર્ગના કલારૂપ વિચાર ઉપર ચડાવ કે જેથી ધર્મ, સત્કર્મ કે પરોપકારનાં કામેં સંપાદન થઈ શકે. દરેક સુજ્ઞ મનુષ્યને સર્વદા સુવિચાર પ્રગટ કરવા. તમે વિચારે કે, “આજથી હું સર્વનું કલ્યાણ ઇચ્છું છું. આ સુવિચારથી તમારા મનમાં કે મગજમાં ન કીલે પડ્યા. પછી જ્યારે તમે નવરા પડે, ત્યારે એજ સુવિચાર લાવ્યા કરજે. એમ કરતાં તમારા મનમાં એ સુવિચારને ઉંડા કલે પડી જશે. કદિ મનની ચ પળતાને લઈને તમારામાં કુવિચાર ઉત્પન્ન થઈ આવે, અને તે અશુદ્ધ વિચારે તમારી મનોવૃત્તિ ચાલવા માંડે, તે તમે તેપર લક્ષ આપશે નહિ, તેને ઉડે કીલે પાડવા દેશે નહિ, તમે નિશ્ચય કરેલા સુવિચાર રના કીલામાંજ તમારા મનરૂપ રથને સ્થાપિત કરજે. જ્યારે તમે એ વા સુવિચારને અભ્યાસ રાખશે, તે પછી પ્રયત્ન કર્યા વિના સ્વભાવથી જ તમારા સુવિચાર માર્ગોનુસારપણામાંજ વહ્યા કરશે, અને તેથી તમે આહંતધર્મને તત્વને મેળવી સુખ અને શાંતિને જ અનુભવ કરશે. બંને શિષ્ય—હે કરૂણાનિધિ ભગવન, આપના આ ઉપદેશે અમારા હૃદયને આર્ટ્સ કર્યું છે. અમારી મને વૃત્તિની મૂઢતા દૂર થઈ ગઈ છે. અમે પ્રસન્ન થઈ આપને અંતઃકરણ પૂર્વક આભાર માનીએ છીએ. Sh. K.-૨૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034527
Book TitleJain Shashikant
Original Sutra AuthorN/A
AuthorLalan Niketan
PublisherLalan Niketan
Publication Year1925
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy