SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ માલ ૧૧૭ મજવા. તે વિદ્વાન વૈદ્યે તેને આષધ આપ્યુ, અને તેને કેાઇ સારા મિત્રમ’ડળમાં રાખવાની સૂચના કરી. તે વિષે એમ સમજવાનું છે કે, તે આષધ તે મુનિના અથવા સત્પુરૂષને ઉપદેશ સમજવા, અને સારૂં મિત્રમડળ તે સત્પુરૂષોના સમાગમ સમજવા. સત્સમાગમ કરવાથી ક્રોધરૂપી મહારોગ શમી જાય છે. તે વૈદ્યના કહેવા પ્રમાણે કરવાથી તે રાગી સારા થયા, એટલે તે ક્રોધરહિત થઇ સારી રીતે વર્તાવા લાગ્યા. તે પછી ઘેાડા દિવસ પછીતેને ખીજો રેગ લાગુ પડયા. તે માન નામના કષાય સમજવા, તે રાગમાં તેનું શરીર અક્કડ થઇ જતું, છાતીના ભાગ ઉપડી જતા અને હાથપગની ચેષ્ટાએ કરી ચલાતું—એ બધી ચેષ્ટા માન–અંહકારમાં થાય છે. માની અથવ! અહુકારી માણસ અકડ રહે છે, છાતી કાઢી અને હાથપગ ઉછાળી ચાલે છે, અને ‘આ જગમાં મારા જેવા કેાઇ નથી’ એવુ· ધારી જાત જાતની ચેષ્ટા કરે છે. તેવા માનરૂપી રોગથી પીડિત એવા પથિકને પાછા જે પેલા વૈદ્ય આગળ લઇ જવામાં આવ્યા. તે પૂર્વની જેમ કોઇ પવિત્ર મુનિ અથવા કોઇ સત્પુરૂષની પાસે ગયા એમ સમજવું. તે વૈદ્યે તેને એક પાહાર સુધી પોતાની પાસે રહેવાને કહ્યું, તે હમેશાં પ્રાતઃકાળના એક પહેારસુધી મુનિના ઉપદેશ સાંભળવાને કહ્યું હતુ. હમેશાં એવા ઉપદેશ સાંભળવાથી માન-અ'હુકારરૂપી મહારેાગશાંત થઇ જાય છે. તે પછી મનમાં કુવિચાર લાવનારા શરીરે એચેની રખાવનારે અને નઠારી ચેષ્ટા કરાવનારા જે પુનઃ રોગ લાગુ થયા. તે જીવને લાગુ થયેલ માયા-કપટ નામના ત્રીજો કષાય સમજવે. જે મનુષ્યમાં માયા હોય, તેના હૃદયમાં બીજાને છેતરવાના તથા હાનિ કરવાના નઠારા વિચાર આવ્યા કરે છે. માયા-કપટની યેાજનાએ કરવામાં તેને બેચેની રહે છે, અને તે અનેક જાતનીનઠારી ચેષ્ટાઓ કરે છે. આ ભયંકર રોગથી પીડાએલા પથિકરૂપી જીવને તેના કુટુંબીરૂપ હિતકારીજના પાછા વૈદ્યરૂપ ગુરૂની પાસે લઈ જાય છે. તેને ગુરૂ શુભેપદેશરૂપી રસાયણ આપી પાછા સાજો કરે છે. જે ઉપદેશથી માયાનું સ્વરૂપ તથા માયા કરવાથી થતી હાનિ વિષે શાસ્ત્રને દષ્ટાંત સહિત બેધ આપવાથી તે જીવ માયાને છેડી દે છે, એટલે તે એ માયારૂપ રેગ થી મુક્ત થઇ પાછે સુખી થાય છે. પથિકરૂપી સંસારી જીવ ક્રોધ, માન અને માયાથી મુક્ત થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034527
Book TitleJain Shashikant
Original Sutra AuthorN/A
AuthorLalan Niketan
PublisherLalan Niketan
Publication Year1925
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy