SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતને અહિંસાનું કેન્દ્ર બનાવવામાં પણ જેનધર્મજ મુખ્ય કારણ છે. મહાધર્મોમાં જૈનધર્મની વિશેષતા અહિંસામાં છે. આ સુખવિલાસ ને પ્રવૃત્તિની દુનિયામાં જૈનસૂત્ર ને સિદ્ધાંતે નિવૃત્તિમાર્ગ અને ત્યાગમાર્ગ તરફ દોરે તે કેમ પિષાય. એમ ઘણુઓને લાગતું હશે; પરન્તુ અંતે તેજ માર્ગ બધાને લેવાની ફરજ પડશે. - જૈન સાધુઓના આચાર દુનિયાભરમાં પ્રશંસનીય ગણાય છે. તેઓ આર્યાવર્તના પ્રાચીન સાધુ આચારને આજે પણ પાળી રહ્યા છે. જ્યારે આ વીસમી સદીમાં અનેક સાધુઓએ સાધુતા છોડીને જરૂરી સગવડે ઐશ-આરામનાં સાધને સેવવા માંડ્યાં છે. સજન! આપ સૌએ મારૂં વ્યાખ્યાન આટલે વખત સાંભળવા જે ધીરતા અને શાંતિ જાળવી રાખી છે, તે બદલ હું અંતઃકરણથી આપને ધન્યવાદ આપું છું; અને સાથે સાથે એટલે. અનુરોધ કરું છું કે સામાન્ય ધર્મોમાં કયાંય પણ ભેદ નથી. એક વિદ્વાને કહ્યું છે કે Eternal truth is one but it is refleted in the minds of the singers. દરેક તત્ત્વજ્ઞાન તુલનાત્મક દૃષ્ટિએ જોવામાં આવે અને વિચારવામાં આવે તે ઘણાખરા મતભેદે તે તુરતમાંજ મરી જવા પામે તેમ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034515
Book TitleJagat Ane Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1991
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy