SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ સમયના અભાવે માત્ર ટુ કાણુમાંજ દરેક વિષયની રૂપરેખા તમારી આગળ ઉપસ્થિત કરૂ છું. જૈનસાહિત્ય. હવે જૈનસાહિત્ય સબધી જરા દૃષ્ટિપાત કરીએ. જનસાહિત્ય વિપુલ, વિસ્તીણુ અને સમૃદ્ધ છે. એવે કાઈ પણ વિષય નથી જેના ઉપર રચાએલા અનેક ગ્રંથા જૈન સાહિત્યમાં ન મળી આવે, એટલુજ નહી પરન્તુ તે વિષયેાની ચર્ચા ઘણી ઉત્તમ રીતે ઉત્તમેોત્તમ અને વિદ્વત્તાપૂર્ણ દૃષ્ટિથીજ થએલી છે. જૈનદર્શનમાં પ્રધાન ૪૫ શાસ્ત્રો છે, જે સદ્ધાંત અથવા આગમના નામથી એળખાય છે. તેમાં ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ← છેદ, ૪ મૂળસૂત્ર, ૧૦ પયન્ના અને ૨ અવાંતર સૂત્ર, આવે છે. પ્રાચીન સમયમાં શાસ્ર લખવા-લખાવવાના રિવાજ નહાતા સાધુએ પર પરાથી આવેલ જ્ઞાનને મુખપાઠે રાખતા. જેમ જેમ સમય જતા ગયા તેમ તેમ તેને પુસ્તકારૂઢ કરવાની ફરજ પડી. આગમમાં જે આધે છે તે મહાવીરસ્વામીના જીવન, કથન અને ઉપદેશના સાર છે. આ આખુ જૈનસાહિત્ય દ્રવ્યાનુયાગ, ગણિતાનુયોગ, ધર્મકથાનુયોગ અને ચરણકરણાનુચેાગ એ ચાર વિભાગેામાં વ્હેંચાએલુ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034515
Book TitleJagat Ane Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1991
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy