SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭૭) ખીલચીપુર. આ રાજ્ય મધ્ય હિંદુસ્થાનમાં ભોપાળ એજન્સીમાં એક દેશી રાજ્ય છે, અને તે સિંધિઓ સરકારનું ખંડીયું છે. અહિના રાજકર્તા ખીલચી રજપુત છે; અને તે રાવની પદિથી ઓળખાય છે. વિસ્તાર ૨૭૩ ચોરસ માઈલ છે. વસ્તી ૩૬૦૦૦ માણસની છે; તેમાં ૩૩૦૦૦ હિંદુ અને બીજા મુસલમાન છે. આ રાજમાં ૨૬૯ ગામ છે. ઉપજ ૩૧૭૫૦૦૦ને આશરે છે તેમાંથી ૩૧૩૧૬૦ હાલી રૂપીઆ સિધિઓ સરકારને ખંડણીના આપે છે. હીઝહાઈનેસ રાવ અમરશંગ બહાદુર જાતે ખીલચી' રજપુત છે અને તે હાલના રાજકર્તા છે. આ રાવને ઈ. સ. ૧૮૭૩માં રાવ બહાદુરનો કિતાબ મળ્યો હતો. તેમની ઉમ્મર હાલ ૫૪ વરસની છે, તેમને હલકા દરજ્જાની સત્તા છે તથા નવ તોપનું માન મળે છે. આ રાજ્યના લશ્કરમાં ૪૦ ઘોડેસ્વાર અને ૨૦૦ પાયદળ છે. ખીલચીપુર એ રાજધાનીનું શહેર છે અને તે કાળી નદી ઉપર આવેલું છે શહેરની આસપાસનો મુલક જંગલથી ભરેલો છે; વસ્તી આશરે ૫૦૦૦ માણસની છે આ શહેર રાજગઢથી ઈશાન કોણમાં ૭માઈલ છે ને ત્યાંથી જાવરા પટ્ટણ સુધી સડક છે. બેરદા. આ એક બુંદેલખંડમાં નાનું રાજ્ય છે. અને તે પાથર કુચારનું રાજ્ય પણ કહેવાય છે. આ રાજનું ક્ષેત્રફળ ૨૩૪ ચોરસ માઈલ જમીન છે અને તેમાં ૬૬ ગામ છે. વસ્તી ૧૭૨૦૦ માણસની છે, તેમાં ૧૬૦૦૦ હિંદુ અને બાકીના મુસલમાન અને બીજી અસલી જાતે છે. ઉપજ રૂ.૨૮૦૦૦ની થાય છે. અહિના રાજક્ત રધુવંશી રજપુત છે, ઈ.સ. ૧૮૦૭ માં મોહનસીંગને એક સનંદ કરી આપી તેથી ઈગ્રેજોએ તેના મુલકનું રક્ષણ કરવા કબુલ કર્યું. મોહનશીંગ ઈ. સ. ૧૯૨૭માં મરણ પામ્યો. તેની પછી સરબજતશીંગ ગાદીએ બેઠો. તે ઈ. સ. ૧૮૬૭માં મરણ પા ખ્યો અને તેની પછી તેનો છોકરો છત્રપાલશીંગ ગાદીએ બેઠો. છત્રપાલ સાત વરસ રાજ કરી ઈ. સ. ૧૮૭૪માં મરણ પામ્યો; તેની પછી તેનો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Www.umaragyanbhandar.com
SR No.034512
Book TitleHindna Deshi Rajyo
Original Sutra AuthorN/A
AuthorKuberbhai Motibhai
PublisherRanchodlal Gangaram
Publication Year1890
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy