SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ • (૧૬) તેથી તેને દત્તક લેવાને હક, દર વરસે ૩ર૦૦૦૦ ની ઉપજની એક જાગીર અને પોશાક અને વંશપરંપરાને માટે ૧૧ તેમનું માન મળ્યું. રાજા રતનસિંગ ઈ. સ. ૧૮૯૦ માં મરણ પામ્યો. તેના પછી તેને છેક જયસિંગ રાજા થયો ઈ. સ. ૧૮૫૦. તે હાલનો રાજા છે. તે ઇ. સ. ૧૮૫૩ માં જન્મ્યો હતો. - ઈ. સ. ૧૮૭૪માં હજહાઇનેસ જયસિંગદેવ બહાદુરે સઘળી રાજ્ય સત્તા પોતાને હાથ લીધી. તે ઈ. સ. ૧૮૭૭ ના જાનેવારીની તા. ૧લીએ દિલ્હીમાં જે બાદશાહે દરબાર ભર્યો હતો ત્યાં ગયો હતો અને ત્યાં તેમને સિપાહદાર ઉલમુશ્કને ખિતાબ મળ્યો હતો. મહારાણી વિકટોરીઆને રાજ કરતાં પુરાં પ૦ વરસ થવાથી તા. ૧૬ ફેબ્રુઆરી સને ૧૮૮૭ ને દિવસે હિંદુસ્થાનમાં જ્યુબીલી મહેQ પાળવામાં આવ્યો હતો તેમાં અહિના રાજકર્તા મહારાજાએ પણ સારો ભાગ લીધો હતો અને તેની યાદગીરીને માટે કેળવણીખાતાને ઉતેજન આપવાનો ઠરાવ કી છે. ચિરકારીના મુલકના ચાર ભાગ કરવામાં આવ્યા છે. અને તે દરેક ભાગમાં એક શાનદાર રહે છે. આ થાનવા ફોજદારી દીવાનીના દાવા ચુકવે છે. આના ઉપર જે અપીલ કરવી હોય તો સદર કોર્ટના મુખ્ય અમલદારને કરવી પડે છે. આ સિવાય બીજી બે દીવાની કોઈ છે જેમાંથી એક પૈસા સંબંધી દાવા ચુકવે છે. હીઝહાઈનેસ શ્રી મહારાજા બીરાજ સિપાહદાર ઉલમુક જયસિંગદેવ બહાદુર દયાળુ સ્વભાવના છે મહારાજાની હાલ ૩૬ વર્ષની ઉમર છે. તેમને હલકા દરજાની સતા છે અને તે ઈગ્રેજી છાવણીમાં જાય તે વખત લશ્કરી સલામતી અને ૧૧ તોપનું માનછે. આ રાજ્યના લશ્કરમાં ર૨૦ ઘોડેસ્વાર ર૦૦૦ યાદળ ૧૩૧ ગેલંદાજ અને ૩૧ તોપ છે ચિરકારી એ રાજધાનીનું શહેર છે અને તે ગ્વાલિયરથી બંદાએ જવાના રસ્તા પર આવેલું છે. અને તે બંધાથી જ મને છેટે છે. શહેરથી નીચાણમાં એક સરોવર છે. રસ્તા સારા છે. છત્રપુર. આ રાજ્ય પવાર જાતના રજપુત મહારાજાના તાબામાં છે અને તે બુદેલખંડના મધ્ય ભાગમાં છે. અહિના રાજકત રાજાની પદ્ધિથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034512
Book TitleHindna Deshi Rajyo
Original Sutra AuthorN/A
AuthorKuberbhai Motibhai
PublisherRanchodlal Gangaram
Publication Year1890
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy