SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ गुजरातना ऐतिहासिक लेख ભાષાન્તર * ! સ્વસ્તિ ! ભરૂ કચ્છના દ્વાર દરવાજા ) આગળ આવેલા વિજયી નિવાસસ્થાનમાંથીઃ— ( પં. ૧ )સજળ ઘન વાદળમાંથી મહાર નીકળતા શશીનાં કરણથી જાગૃત થએલા શ્વેત કુમુદ જેવી યશની વેલીથી નભમંડળ છાયી નાંખતા, અનેક સમરનાં સંમાં જેની સામે આવતાં સંહાર થએલા શત્રુસામન્તકુલની પત્નીએ પ્રભાત સમયે રૂદનથી જેની અસિને પ્રતાપ માટેથી જાહેર કરે છે એવા દેવ, દ્વિજ અને ગુરૂએનાં ચણુકમળને પ્રણામ કીધેથી પંક્તિ પડેલા કાટી વમણિના ઉજજવળ કરાથી વિરાજિત મુગટથી મંડિત શિરવાળા, દીન, અનાથ, આજારી, અભ્યાગત, યાચક, અને વિપત્તિવાળા જનાના વૈભવ (લક્ષ્મી) માટેના મનેારથ પૂર્ણ કરવાથી નિરંતર વૃદ્ધિ પામતા, સ્વર્ગપ્રાપ્તિના એક જ સહાય ધર્મસંચયવાળા, પૂર્વે પ્રણયથી કેાપિત થએલી માનિની જનાના પ્રણામ પછી મધુર વચનથી ઉદ્ભવેલા પ્રસાદથી પ્રકાશિત થતા વિદ્રુગ્ધ અને નાગરક સ્વભાવવાળા, વિમલ ગુણુનાં કિરણેાના પૈંજરમાં કલિના ઘનતિમિરને નાંખનાર, પંચ મહાશબ્દ પ્રાપ્ત કરનાર શ્રી વ્ હતેા. (૫, ૬). તેના પુત્ર શત્રુની મદોન્મત ગજસેનાના સંહાર નિર્દય ફાળ ( કુલંગ) મારી કરનાર જુવાનસિંહ જેવા પાતાની તરવારથી પ્રતાપ પ્રકટ કરનાર, નિરંકુશ દાન પ્રવાહથી અને ઉદધિના અને તટ પર આવેલાં વનામાં ગમન કરી સતત મદ ઝરતા અને ક્રીડા કરતા દિગ્ગજોના ગુણુસમૂહવાળા, ગગનલક્ષ્મીનાં સમુન્નત વાદળાં રૂપી પયાધરાને સ્ફટિક અને કપૂર જેવા શ્વેત યશનાં ચંદનના લેપથી સુગંષિત કરતા શ્રી જયભટ હતા. (૫, ૯) તેના પુત્ર, સકલ જગત વ્યાપી દેનાર દેષના અધિકારથી ઉદ્ભવેલા ધનતિમિર ને હાંકી મૂકનાર, ગુરૂના અધિસ્નેહ થએલા વિમલ આદેશથી જીવલેાકને પ્રકાશિત કરતા, પરમખાષ પ્રાપ્ત કરનાર, વિપુલ ગુજ્જર નૃપાના અન્વયમાં મશાલ જેવા, પંચમહાશબ્દ પ્રાપ્ત કરનાર મહારાજાધિરાજ, શ્રી ૪૬ કુશળ હાલતમાં સમસ્ત રાષ્ટ્રપતિ, વિષયપતિ, ગામકૂટ, આયુક, નિયુક્તક, અધિકારિક, મહત્તર આદિને જાહેર કરે છેઃ—— ( પં. ૧૨) તમને જાહેર થામા કે—મારાથી માતાપિતાના તથા મારા પરલેાકમાં પુણ્યયશ ની વૃદ્ધિમાટે અહિચ્છત્રમાં નિવાસ કરતા, તે જ સ્થળના ચતુર્વૈદ્ધિ મધ્યેના, કાશ્યપ ગેાત્રના, અવૃચ સબ્રહ્મચારી ભટ્ટ ગોવિન્દના પુત્ર ભટ્ટ નારાયણુને બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહેાત્ર, પંચમહાયજ્ઞ આદિ અનુષ્ઠાન માટે અકુલેશ્વરવિષયમાં રાઇધગામ જેની સીમા પૂર્વે વારણેર ગામ; દક્ષિણે વરન્ડા નદી; પશ્ચિમે શુષ્ણવક ગામ અને દક્ષિણે અરલૌમ ગામ; આ ચાર સીમાવાળું ગામ ઉદ્ભજ્ઞ સહિત, ઉપરિકર સહિત, અન્ન અને સુવર્ણની આવક સહિત, વેઠના હક્ક સહિત, રાજપુરૂષોના પ્રવેશમુક્ત, ચદ્ર, સુરજ, સાગર, પૃથ્વી, નદીઓ અને પર્વતાના અસ્તિત્વકાળ સુધી, પુત્ર, પૌત્ર, અને વંશજેના ઉપભેગ માટે, પૂર્વે દેવ અને બ્રાહ્મણ્ણાને કરેલાં દાનવન્ત્ય કરી અભ્યન્તર સિદ્ધિથી, શકરાજાના સમય પછી સંવત્સર ૪૧૭ માં જેષ્ઠ અમાસ ને સૂર્યગ્રહણુના સમયે પાણીના અર્ધ સાથે અપાયું છે. ( પં. ૧૯ ) આથી આ માણસ જ્યારે બ્રહ્મજ્ઞાયના નિયમાનુસાર આ ગામની ખેતી કરતા હાય અથવા ખેતી કરાવતા હાય અથવા ઉપલેાગ કરતા ઢાય અથવા ઉપલેાગ કરાવતા હાય, અથવા અન્યને સાંપતા હાય ત્યારે કોઈએ પણ પ્રતિબંધ ન કરવા. ( પં. ૨૦) આ અમારા દાનને અમારા વંશના કે અન્ય ભાવિ નૃપાએ પેાતે કરેલા દાન માક, ભૂમિદાનનું ફળ દાનદેનાર અને રક્ષનારને સામાન્ય છે, શ્રી જલબિંદુ જેવી ચંચલ અને અનિત્ય છે, અને જીવિત તૃણુના અગ્રે જલમિંદુ જેવું ચંચલ છે એમ માનીને અનુમતિ આપવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy