SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ दह २ जाना उमेटांनां ताम्रपत्रो ભાષાન્તર # સ્વસ્તિ! ભરૂકચ્છના દ્વાર સમીપ નાંખેલા, વિજયી નિવાસસ્થાનમાંથી, સકલઘનપટલમાંથી બહાર આવેલા રજનીકરનાં કિરણોથી વિકસતાં કુમુદસમ ઉજજવળ યશના પ્રતાપવાળો, અનેક યુદ્ધમાં તેની વિમમ આવી સંહાર થએલા શત્રુ સામન્તની પત્નીના પ્રભાતમાં રૂદનથી જેની ઉજજવળ અસિન પ્રતાપ નિત્ય મોટેથી ગાજતે દે, દ્વિજે અને ગુરૂના ચરણકમળને નમન કર્યાંથી ઉદ્દઘણ, ઘતિવાળાં કિરણે વાળ કટી જામણિથી પ્રકાશિત મુગટ જેના શિરપર રાજતે હતો? સ્વર્ગમાં એકલા મિત્ર સમાન જેને ( પુણ્ય ) સંચય દીન, અનાથ, આતુર આજાર ), અભ્યર્થ, ભિક્ષુક અને દુઃખી જનેના વિભવ મને રથ ઉદારતાથી પૂર્ણ કરવાથી નિત્ય વૃદ્ધિ પામતે, મદભરેલી માનિની જનના, પ્રણામ અને મધુર વચનેથી પ્રણયકલહ શમાવવામાં નય અને વિવેક પ્રકાશિત કરતો અને જેણે કલિયુગનું ઘન તિમિર ઉજજવળ ગુણના પિંજરમાં નાંખ્યું હતું તે શ્રી દ૬ હતે. હુમલો કરતા અનેક મદવાળા માતંગોને નિર્ભય વિકમથી સંહારતા સિંહ માફક મદથી મત્ત થએલા શત્રુગજના ગણનો સંહાર, તેની અસિના વિકમથી કર્યો હોવાથી યુવાનાસિંહ સમાન મદભરેલા પ્રતાપવાળો તેને શ્રી જયભટ નામે પુત્ર હતા. તે, (પશ્ચિમ અને પૂર્વ સાગરના) અને કિનારા પર ઉગતાં વનમાં ભ્રમણ કરતા ગજે માફક ( ખંભાતના અખાત)ના બને કિનારે ઉગતાં વનમાં ગમન (ચઢાઈ ) કરી અને ગજે નિરંતર અતિ મદ ઝરે છે તેમ નિરંકુશ દાનપ્રવાહને લીધે તે દિગના વિભ્રમ ગુણસમૂહસંપન્ન હતે. કપૂરના કણ અથવા . ટકા જેવા ઉજજવળ યશના ચંદનલેપથી પોતાનું જ અંગ અને લક્ષમી( શ્રી)નાં સમુન્નત પયોધર ( ઉંચે ચઢતાં વાદળાં)વાળા ગગન સમાન હતા તે વ્યાપી ( ઢાંકી) દીધા. તેને પુત્ર, જેણે દુષ્કાના પ્રતાપથી ઘટ થએલું અને અખિલ જગમાં પ્રસરેલું ઘન તિમિર દૂર કર્યું હતું, જે ધર્મગુરૂ માટે અધિક નેહસંપન્ન છે, અને જેણે પિતાના શુદ્ધ બધથી જીવલે છે, જે મહાન ગુર્જર વંશને પ્રકાશનાર થયેલ છે અને જેણે પંચમહાશબ્દ પ્રાપ્ત કર્યા છે તે મહારાજાધિરાજ શ્રી દર્દ હતું, તે સર્વ કુશળ હાલતમાં, સમસ્ત રાષ્ટ્રપતિ, વિષયપતિ, ગ્રામકૂટ, આયુક્તક, નિયુક્તક, આધિકારિક, મહત્તર, આદિને શાસન કરે છે – તમને જાહેર થાઓ કે મેં મારાં માતાપિતા અને મારા, આ લોક તેમ જ પરલોકમાં, પુણ્ય- - યશની વૃદ્ધિ માટે, કાન્યકુબ્ધમાં વસતા, ચતુર્વેદિ મધ્યેના, વિશિષ્ટ ગોત્રના, બહવૃચ સબ્રાચારિ, ભટ્ટ મહીધરને પુત્ર, ભટ્ટ માધવને, બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર અને પંચમહાયજ્ઞ આદિ વિધિ અનુષ્ઠાન માટે કમણીયશેડશત ભુકિતમાં આવેલું નિગુડ ગામ જેની સીમા–પૂર્વેવધૌરિગ્રામ. દક્ષિણે-કલહવદ્વગામઃ પશ્ચિમે–વિહાણુગામ, અને ઉત્તરે–દાહથલિગામઃ આ સીમાવાળું આ ગામ ઉકંગ તથા ઉપરિ કરે સહિત, અન્ન અને સુવર્ણમાં આવક સહિત, વેઠના હક્ક સહિત, પૂર્વે કહેલાં દેવ અને દ્વિજોનાં દાન વર્જ કરી, રાજપુરૂષોના પ્રવેશ મુક્ત ચંદ્ર, સુરજ, સાગર, પૃથ્વી, નદીઓ, અને પર્વતના અસ્તિત્વ કાળ સુધી પુત્ર, પૌત્ર, અને વંશજોના ઉપભેગ માટે શક સંવત ૪૦૦ વૈશાખ પૂર્ણિમાને દિને, પાણીના અર્ધથી દાનને અનુમતિ આપી ભક્તિથી આપ્યું છે. આથી તે બ્રહ્માદાયના નિયમ અનુસાર ( આ ગામની જમીનની ) ખેતી કરે, કે ખેતી કરાવે, ઉપભેગ કરે અથવા અન્યથી ઉપભેગ કરાવે અથવા અન્યને સંપે ત્યારે કેઈએ તેને પ્રતિબંધ કરવો નહિ ... ... ... ... ... ... ... અને આ સેનાપતિ શ્રી ગિલકના પુત્ર, (નૃપના) પદાનુજીવિન ભટ્ટ માધવથી લખાયું છે. આ મારા શ્રીમદ્ વીતરાગના પુત્ર શ્રી પ્રશાન્તરાગના સ્વહસ્ત છે. છે. ૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy