SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૧૫૬ ગ્વાલિયરમાં ઉદયપૂરના ત્રણ લેખે સી-અજયપાલદેવનો શિલાલેખ ( વિક્રમ સંવત ૧૨૨૯ આ લેખ ડૉ. એફ. ઈ. હેલને ઉદયાદિત્યના ભવ્ય શિવમંદિરમાં મળ્યું હતું. તેણે જ. બે. એ. . . ૩૧ પા. ૧૨૫ માં તે પ્રથમ પ્રસિદ્ધ કર્યો હતો. ડૉ. હેલના કહેવા મુજબ તે એક મૂળ સ્થાનમાંથી ઉખેડેલા જાડા પત્થરના ટુકડા ઉપર લખેલો છે. તે પત્થરને નીચેને ભાગ ભાંગેલ અગર નુકશાન પામેલ છે. તેથી લેખની ૨૨ મી પંક્તિ, જે છેવટની જણાય છે, તે લગભગ આખી જ નાશ પામી છે, અને ૨૧ મી પંક્તિના થોડાક છેવટના અક્ષરો પણ નાશ પામ્યા છે. તે સિવાય બાકીને લેખ સુરક્ષિત છે. ફક્ત આઠમી પંક્તિના બે અક્ષરો અને ૧૨ મી અને ૨૧ મી પંક્તિમાં દરેકમાં એક એક અક્ષર સિવાય લેખમાં કોઈ પણ સ્થળે વાસ્તવિક પાઠ વિષે શંકા રહેતી નથી. જેટલું લખાણ અસ્તિત્વમાં છે તેટલું ૧ પહેળી અને ૧૧૧” ઉંચી જગ્યાનું રોકાણ કરે છે. અક્ષરનું કદ ” અને ” વચ્ચે છે. લિપિ નાગરી અને ભાષા સંસ્કૃત છે, અને ૧૪-૧૯ પંક્તિમાં આશીર્વાદ તથા શાપના ત્રણ લેક સિવાય લેખ ગઘમાં છે. શુદ્ધ જોડણી વિષે કંઈ કહેવાનું રહેતું નથી. અને વ્યાકરણ વિષે એટલું જ કહેવું બસ છે કે, “પ્રામ' શબ્દ બધે નાચતર જાતિમાં વાપર્યો છે. લેખમાં, “, ૐ નમઃ રિલા” શબ્દો તથા નીચે ચર્ચેલી તારીખ, પછી અણહિલ પાટકના (ચૌલુક્ય) રાજા અજયપાલદેવના રાજ્યનું તથા તેના તે સમયના મુખ્ય મંત્રિ સંમેશ્વરનું નિવેદન છે. તે સમયે, રાજાએ પોતાના બળ વડે મેળવેલા ભૈલસ્વામી મહાદ્વાદશક મંડલ એટલે ભેલ રવામિ નામના બારના મોટા જુથમાં આવેલા ઉદયપૂરમાં સત્તા ચલાવવા રાજાએ નિમેલા શ્રી લલુપસાકએ, “યુગાદિ જે અક્ષય તૃતીયાને દિવસે આવે છે, તે પ્રસંગે ઉમરથા નામનું ગામ આખું હતું. આ ગામ ભંગારિકા-ચતુઃષષ્ઠ નામના પથક, એટલે “ભંગારિકા નામના ચોસઠ ગામના સમૂહમાં આવ્યું હતું. તે ઉદયપુરમાં ભગવાન વૈદ્યનાથ(શિવ)ને આપ્યું હતું. મુહિલોલ (?) વંશના રાજપુત્ર શ્રી વીરહણદેવના પુત્ર સદગત શ્રી સોલણદેવરાજનાં શ્રેયાભિવૃદ્ધિ માટે તે આખું હતું. ઉમરથાની સીમા–પૂર્વે નાહગામ, દક્ષિણે વહિડાઉ (કા) ગામ; પશ્ચિમેલી ગામ અને ઉત્તર લખણુપડા ગામ. ૧૪–૧૯ મી પંક્તિઓમાં ત્રણ આશીર્વાદના અને શાપના લેકે તથા ઉપરનું દાન ચાલુ રાખવાની સૂચના આપેલાં છે. ૨૦-૨૧ મી પંક્તિઓમાં કહ્યું છે કે, આ દાન પરમ નિષિક, પૂજ્ય અને પવિત્ર નીલકંઠ સ્વામિએ (પાર્ષિતનું; ભગવાનને બદલે;” હું અર્થ કરૂં છું) લીધું હતું. છેલ્લી પક્તિમાં આ દાનમાં દખલગિરિ કરનાર ને કંઈ શાપ દીધો હોય એમ જણાય છે. ૧ ઈ. એ. વો. ૮ પા. ૩૪૪ છે. કિહાં, ૨ “સી” લેખની ચર્ચા માટે જુઓ “એ' લેખ સાથે બેડલું ચર્ચાપત્રસ્વાલિયરમાં જદયના ત્રણ લેખો ઈ. એ. વ. ૧૮ પા. ૩૪૧. ૩ અહિ વાપરેલો પારિભાષિક શબ્દ વિના છે. જે પ્રો. ભાંડારકરના ૧૮૮૨-૮૩ ના રીપોર્ટ પા. ૨૨૩ ૫. ૨૧ માં ફરી વાર આવે છે અને જેને બદલે છે. પીટ સનના ૧૮૪-૮૬ ના રીપોર્ટમાં નિરૂપણ આપણે વાંચીએ છીએ. સરખા નિર્માણાનિ-લેખ “એ પતિ ૮મી અજયપાલના પૂર્વજોને કબજે ૪ ઉદયપૂર પહેલેથી જ હતું એમ ધારીએ તો ઉપરના લખાણ અતઃ મોજ લઈ શકાય. ૫ જુઓ આગળું પાનું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy