SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ रब २ जाना कावीनां ताम्रपत्रो વિલાસભવ સરખે, સત્પાત્ર સાથે શ્રીના યોગ જે, ધર્મયા જે, યજ્ઞાનના કાળ જે, પ્રેમના સગુણસમાન, શશીની નિર્મળ કલા જે, (નિર્મળ કૃત્યોના સમૂહ જે ), નિત્ય અલકારોથી ભૂષિત, પૂર્ણિમાના ચંદ્ર જેવા વદનવાળો, નેતાળ, મૃદુવાણીવાળે, પ્રબળ શત્રુઓ સાથે યુદ્ધમાં વિજયશ્રી પ્રાપ્ત કરનાર, અને શ્રી વીતરાગના અપર (બીજા) નામવાળે શ્રી જયભટ હતે. સગુણાએ પિતાના શત્રુ કલિયુગના ભયથી તેનું શરણું ઈચ્છતા હોય તેમ વિનયપૂર્વક તેને આશ્રય લીધે. વિદ્યુત સમાન પ્રકાશિત કીર્તિવાળે, સકલ જીવલેકને આનન્દકારી, કાળ વાદળની માફક, અવધ્ય ફલ વષવીને પ્રસુયિ જનેની તૃષ્ણ અને સંતાપ દોષ તેણે દૂર કયા. તે શૂરવીર હોવા છતાં અપયશ લેવામાં ભીરૂ હતું (અપયશથી ડરતો હતો, તે તૃષ્ણારહિત હોવા છતાં ગુણપ્રાપ્તિને નિત્ય તરસ્યો હતો, તે પરમ દાની હતે છતાં પર યુવતિઓનાં હૃદય ભંગ કરવામાં વિમુખ હતા. ૫૮ વાચાવાળો હોવા છતાં તે વાદવિવાદમાં શત્રુઓને દુર્વચને આપવામાં જડબુદ્ધિ હતો. તેનું રૂપ શીલનું વિરોધી ન હતું. તેનું યૌવન સદ્દવૃત્ત( સદાચાર )નું વિરોધી હતું નહીં. તેને વૈભવ દાન સાથે વિરોધી ન હતો. તેની ત્રિવર્ગની સેવા, પરસ્પર (ત્રિવર્ગની પરસ્પર) કલેશ કરવાની નિષ્ફળતામાં વિરોધી ન હતી. તેનું પ્રભુત્વ શક્તિનું વિરોધી ન હતું. કલિકાળ(માં તેનું જીવન ) ગુણ (ના સંચય)માં વિરોધી ન હતું. (પંક્તિ ૨૫) તેને પુત્ર, સજળ ઘન વાદળમાંથી બહાર નીકળતા શશીનાં કિરણથી જાગૃત થએલા વેત કુમુહ જેવી યશની વેલી( લતા)થી નભમંડલ છાયી નાંખતે, અનેક સમર સંકટમાં તેની સામે આવી સંહાર થયેલા શત્રુ સામન્ત કુલની પત્નીએાના પ્રભાત સમયે રૂદનથી પિતાની અસિ(તલવાર)ને પ્રતાપ મોટેથી જાહેર કરનાર, દેવ, દ્વિજ અને ગુરૂઓનાં ચરણકમળને અણુમ કરતાં પંક્તિઓ પડેલા કેટી વમણિનાં ઉજજવળ કિરણોથી વિરાજિત મુગટથી મંડિત શિરવાળે, દીન, અનાથ, આજારી, અભ્યાગત, યાચક અને વિપત્તિવાળા જનના વૈભવ મનોરથ પૂર્ણ કરવાથી વૃદ્ધિ પામતા, સ્વર્ગપ્રાપ્તિના એક જ સહાય ધર્મસંચયવાળે પૂર્વે પ્રણયથી કાપિત થએલી માનિની જનેના પ્રણામ પછી મધુર વચનથી ઉદ્ભવેલા પ્રસાદથી પ્રકાશિત થતા વિદગ્ધ અને નાગરિક સવભાવવાળે, વિમલ ગુણનાં કિરણેના પિજરમાં કલિનાં ઘન તિમિરને નાંખનાર, પંચમહાશબ્દ પ્રાપ્ત કરનાર શ્રી દ૬ કુશળ હાલતમાં સમસ્ત રાજ, સામન્ત, લેગિક, વિષયપતિ, રાષ્ટ્રમહત્તર, ગ્રામમહત્તર, આધિકારિક આદિને જાહેર કરે છે કે – (પતિ ૩૩) તમને જાહેર થાઓ કે અક્રૂરેશ્વર વિષયમાં આવેલું શિરીષપદ્રક ગામ ઉદ્ર સહિત, ઉપરિકરસહિત ... ... ... ... ... કાપવાની સર્વ વસ્તુ, વિષ્ટિ, પ્રતિભેદિકા સહિત ભૂમિછિદ્ર ન્યાયથી, સૈનિકોના પ્રવેશમક્ત, ચંદ્ર, સય, સાગર, પૃથ્વીના અસ્તિત્વકાળ સુધી પુત્ર, પૌત્ર અને વંશજેના ઉપભોગ માટે જબુસરથી આવેલા અક્રૂરેશ્વર વિષયમાં શિરીષપદ્રકના નિવાસી, બહુવૃચ શાખાના, વત્સ ગેત્રના, આશ્વલાયનસ સબ્રહાચારી, બ્રાહ્મણ ભક્ટિ અને ધ્યાપક તથા ગોપાદિત્ય તથા ભક્ટિગણુ, વિશાખ, અગ્નિશમ અને દેણુ-કાશ્યપ ગોત્રના ભક્ટ્રિદામ તથા વત્ર, અધ્વર્યુ વાજસનેય શાખાના, ડૉકીય ગોત્રના, કર્વ સબ્રહ્મચારી બ્રાહ્મણ તાપિ શમ્માં અને બીજે તાપિશમ્મ, અને દત્તસ્વામી, અને ભાગવામી, અને પિતૃશર્મા અને ભક્ટ્રિ અને દ્રોણ–ધૂમ્રાયણ ગેત્રના કર્મ અધ્યાપક અને અલૂક-કૌડિન્ય ગેત્રના વાટશર્મા અને શૈલ અને ઘોષ અને મહાદેવ અને બાવ– માકર ગોત્રના ધર અને વિશાખ અને ન%િ અને રોમિલ–હારિત ગેત્રના ધર્મધર-છાગ્ય ભારદ્વાજ ગોત્રના કૌથુમ સબ્રહ્મચારી બ્રાહરણ ઈન્દ્રશર્મા અને આદિત્યરવિ અને તાપિશૂર અને ઈન્દ્રચૂર અને ઈશ્વર અને ધર અને દામધર અને બીજો ઈશ્વર ભરૂકચ્છથી આવેલા રજિકામાં નિવાસ કરતા અથર્વ વેદમાં નિપુણ ચૌલી ગોત્રના પિપ્પલાદ સબ્રહ્મચારી બ્રાહ્મણ ભદ્ર અને વાયુશર્મા અને દ્રોણસ્વામી અને રૂદ્રાદિત્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy