SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૧૩૩-૧૩૪ ઇન્દ્રરાજ ત્રીજાનાં બે દાનપત્રો શ. સ. ૮૩૬ ફાગુન સુ9 આ તામ્રપત્રોની નોંધ પહેલાં એચ. એચ. ધ્રુવે લીધી હતી અને ત્યાર બાદ જ. બ. બ્રે. ર. એ. સ. જે. ૧૮ પા. ૨૫૩ મે ડો. આર. જી. ભાંડારકરે શિલાછાપ સહિત તે પ્રસિદ્ધ કર્યા હતાં. ત્યાર બાદ અચાનક મેં તે વડેદરા મ્યુઝીયમમાં જયાં અને પ્રે. હુશની સૂચના અનુસાર મૂળ પતરાં મેળવીને પ્રસિદ્ધ કરું છું. પતરાંની સાથે બે સીલો વડેદરાના રેસીડેટે મોકલી હતી પણ તે છૂટી હતી તે પ્રત્યેક તામ્રપત્ર સાથે જોડી શકાય તેમ નહોતી. પતરાંનું માપ ૧૩ ઇંચ ઈંચ છે. સીલની કડીઓ છૂટી પડી ગઈ હતી. તે ૬ ઇંચ જાડી છે અને તેને વ્યાસ ૩૪ ઇંચ છે. સીલમાં સર્પ ઉપર બેઠેલા ગરૂડનું ચિત્ર છે. સર્ષ કમરે વીટાઈ ગએલા છે અને તેની ફણ હાથમાં છે. તેના જનેઈ જેવું દેખાય છે તે કદાચ ત્રીજે સર્પ હોય. ગરૂડ સન્મુખ બેઠેલે છે અને તેની જમણી બાજુએ ઉપરના ખૂણામાં ગણપતિ છે અને નીચે ચમર અને તેની નીચે દીવે છે. ડાબી બાજુ ઉપલા ખૂણામાં સિંહ ઉપર બેઠેલી દેવી છે અને સિંહ નીચે ચમર અને તે ઉપર સ્વસ્તિક છે. ગરૂડના માથાની બન્ને બાજુ વર્તુલ છે, જે સૂર્યચંદ્ર માટે હોય એમ અનુમાન થાય છે. ગરૂડની નીચે લેખ સ્પષ્ટ નથી, પણ તે બીજaહ્ય વચ્ચે હોય એમ જણાય છે. સીલની કોર ઉપર જુદાં જુદાં ચિરો છે. જેમાં લિંગ અને અંકુશ ઓળખી શકાય છે. નાની સોલ જે ૧૮૪૧ ઇંચ છે તેના ઉપર પણ ચિઠ્ઠો છે પણ તે સ્પષ્ટ નથી. સર્પ, ગણપતિ, દેવી, દીવે, સ્વસ્તિક વિગેરે આમાં પણ જોવામાં આવે છે. કડીનું માપ પણ તે જ છે. એચ. એચ. ધ્રુવ લખે છે કે બગુમરાના મુલજી ખુશાલ પટેલને નકર દુબળે ખેતરમાં હળ ખેડતા હતા ત્યારે આ પતરાં નીકળ્યાં હતાં. તેથી પ્રે. કીહેને પ્રથમ જણાવ્યું હતું તે મુજબ આ પતરાંને બગુમરાનાં પતરાં તરીકે ( નવસારીનાં તરીકે નહીં ) એળખાવવાં જોઈએ. - દરેક જોડીમાં ત્રણ ત્રણ પતરાં છે અને તે ૧૩ ઇંચ લાબાં અને ૯ ઇંચ પહોળાં છે. પહેલા અને ત્રીજા પતરાં માત્ર અંદરની એક જ બાજુએ અને વચલાં પતરાં બન્ને બાજુએ કતરેલાં છે. કાતર કામ સ્પષ્ટ અને સંભાળપૂર્વક કરાયેલું છે. લિપિ ઉત્તર વિભાગની લિપિને મળતી છે. ભાષા સ બને જેડીમાં રાષ્ટ્રક્ટ રાજા ઇન્દ્ર 8 જાએ બ્રાહ્મણને ગામ દાનમાં આપ્યાની હકીક્ત આપી છે. ઈન્દ્ર ત્રીજાને બીજા તામ્રપત્રની ૫. ૪૩-૪૫ માં પરમભટ્ટારક મહારાજાધિરાજ પરમેશ્વર શ્રી અકાલવર્ષ દેવ એટલે કે પોતાના દાદા કણ બીજાના પગનું ધ્યાન ધરનાર ૫. મ. ૫. શ્રી નિત્યવર્ષ નરેન્દ્રદેવ તરીકે વર્ણવ્યું છે. દાન અપાયું ત્યારે ઈન્દ્ર ત્રીજો પટ્ટબન્ધ ઉત્સવ માટે પિતાની રાજધાની માન્યખેટ છોડીને કરૂન્ડક ગયે હતે. તે પ્રસંગે સોનાથી પિતાનું વજન કરાવ્યું હતું અને ત્રાજવામાંથી ઉતર્યા વિના ૨૦ લાખ દ્રમ્પનું તથા કુરૂન્ડક અને બીજાં ગામ ડાનું દાન કર્યું. તેમ જ આગલા રાજાઓએ આપેલાં દાનને અનુમોદન આપ્યું અને છેવટે તેના નામના ગામડાનું દાન બીજા તામ્રપત્રમાં લખ્યા મુજબ મૂળ પાટલીપુત્રના રહીશ લક્ષમણ • એ. ઇ. . ૯ પા. ૨૪ . ડી. આર. ભાંડારકર. Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy