SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨, દુનિયાને સૌથી પ્રાચિન ધ. પીગમન કરનાર પરમેશ્વર હેઈ શકે નહિ ! – ગા — હમણાની વ્યવહાર પદ્ધતિમાં એક એવી બાબત નજરે પડે છે કે, પરસ્ત્રીગમન કરનાર તરફ કોઈને પણ શુદ્ધ પ્રેમ ઉત્પન્ન થતો નથી. ભૂતકાળમાં પણ પરસ્ત્રાના સેવન કરનાર તરફ ધિકકારની લાગણીમાં જોવામાં આવતું હતું, એવું શાસ્ત્ર ઉપરથી જણાય છે. હવે કેટલાક ધર્મવાળા જે પરમેશ્વરને માને છે, તેઓ પરસ્ત્રીગમન કરનારા કામ કુચેષ્ટા કરનારા હોય છે તે ઈશ્વર કેમ કહી શકાય? જે પુરૂષ પરસ્ત્રાને ત્યાગ કરી પોતાની સ્ત્રીનું સેવન કરે છે, તેને પણ દુનિયામાં ગૃહસ્થધમ કહેવામાં આવે છે; પરંતુ તેને મુનિ રૂષિ કે ઈવર કહેવામાં નથી આવતો. આનું કારણ એ છે કે જેને કામાગ્નિની બળતરા દરરોજ ચાલુ છે, તેનામાં કદી પણ ઇશ્વરતાને સંભવ પણ થતો નથી. આ કારણથી જે પરમેશ્વરમાં એ દૂષણ છે, તે પરમેશ્વર નથી પણ કુદેવ છે. ૮ષવાન પરમેશ્વર હોઈ શકતા નથી. કેટલાક એવા પરમેશ્વરને માને છે કે, જેને દૈષનાં ચિન્હો હેયછે અને અમુક માણસો તર૬ દૂષની લાગણી હોય છે. દેપના ચિહ શસ્ત્ર, ધનુષ, ચક્ર, ત્રિશૂળ વગેરે રાખવાં તે છે, કારણકે કોઈ વેરીને મારવા માટે જ તે રાખવામાં આવે છે. હવે જેણે પિતાના સઘળા વેરી જીત્યા નહિ હોય, તે સર્વ શક્તિમાન કેમ કહેવાય અને જો તે સર્વશકિતમાન નહિ ગણાય, તે પરમેશ્વર કેમ હોઈ શકે ? આ કારણથી જણાશે કે પરમેશ્વરને દ્વેષ નથી અને તેથી ધનુષ્ય,ચક, ત્રિશળ વગેરે ધારણ કરનાર ઈશ્વર નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034504
Book TitleDuniyano Sauthi Prachin Dharm
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy