SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ પૈસાને ઉપગ ઘણે ભાગે ખાવાનું લેવામાં વધારે થાય છે. બાળકને નવા નવી ખાવાની ચીજ સૌથી વધારે પસંદ હોય છે. પરંતુ વેણીચંદભાઈની પસંદગી જુદાજ કાર્ય તરફ વળી હતી. તેઓ તે પૈસાને ઉપયોગ પ્રભુપૂજામાં–પુષ્પાદિ લઈ વિશેષ પ્રકારે પ્રભુપુજા કરવામાં કરતા હતા. બીજો પ્રસંગ સંવત ૧૩૦ ની સાલમાં શા. રાયચંદ વમળશી હા, જ્ઞાનબાઈએ શ્રી સિધ્ધગિરિને સંઘ કાઢયે હતે. આ વખતે વેણચંદભાઈની ઉમ્મર લગભગ ૧૬ વર્ષની ગણાય. આ સંઘમાં મહેસાણાના એક ગૃહસ્થ સાથે વેણ ચંદભાઈ ગયા હતા. તે ગૃહસ્થને સ્વભાવ કાંઈક આકરે હેવાને લીધે કે કેઈ વખત વેણીચંદભાઈને તેમના તરફથી તાડના–તર્જના સહન કરવા પડતા હતા, છતાં કેવળ તીર્થયાત્રાની શુભ ભાવનાથી દોરાઈ–નહીં કે બાળકને સહજ એવી યાત્રા કે મુસાફરી માટેની કુતૂહળવૃત્તિથી દેરાઈને–તેઓ ગયા હતા. અને કહેતા હતા કે ગમે તેમ, પણ યાત્રા તે થાય છે!” ૭. જીવન સંસ્કાર-કેળવણું– વેણીચંદભાઈના જમાનામાં ગામેગામ સ્થાનિક નિશાળ હતી, જેને ગામઠી (પ્રામસ્થા સ્થાનિક) નિશાળ કહેવામાં આવે છે. તેમાંજ આ દેશની પ્રજા વાંચવા, લખવા અને ગણવાનું-ગણિતનું જ્ઞાન મેળવતી હતી. રમત ગમ્મત અને શેરીના વાતાવરણમાં ઉછરેલાં બાળકે સદા માબાપની દેખરેખ નીચે રહી સંસ્કારી અને ખડતલ બનતાં હતાં. કુટુંબની ખાનદાની વારસામાં ઉતરી આવતી હતી અને ઘરની આબરૂ તથા પ્રતિષ્ઠા જાળવવાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034499
Book TitleDharmveer Sheth Venichandbhai
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal
Publication Year1928
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy