SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ - જ રીતે પતિના પ્રમોદમાં ભાગ લે તેવા હતા, એટલે આ ભકિત વિશેષ લીપી નીકળતી હતી. - વેણચંદભાઈ ઉપર માતાને પ્રેમ વિશેષ જણાતું હતું, કારણ કે વેણચંદભાઈમાં નાનપણથી જ ધર્મને લગતા સંસ્કાર વધારે પ્રમાણમાં જોવામાં આવતા હતા. ધર્મિષ્ઠ માબાપને ધાર્મિક પુત્ર પર વધારે પ્રેમ હોય એ સ્વાભાવિક છે. આ રીતે ધર્મિષ્ઠ માબાપને વારસો અનેક રીતે વેણચંદભાઈમાં ઉતરેલે આપણે જોઈએ છીએ. સાધર્મિક ભક્તિની બાબતમાં પણ તેમનામાં તે ગુણ વારસામાંથીજ ઉતરી આવ્યું હોય એમ ચોક્કસ જણાય છે. - મુંબઈમાં તેમની ઓરડીએ, અને મહેસાણામાં પણ તેમને ઘેર સાધર્મિકભકિત ચાલુ રહ્યા કરતી હતી. ધાર્યા કરતાં સંખ્યા વધી જાય, છતાં વેણચંદભાઈને પ્રમાદ તે સદા વૃદ્ધિ પામતો જ જોવામાં આવ્યો છે. ૫. કસ્તુરચંદભાઈ– આ સ્થળે એક વ્યકિતને ભૂલી શકાય તેમ નથી. તે વ્યક્તિ વેણચંદભાઈના કાકા શા. કસ્તુરચંદ વીરચંદ. મુંબઈના વ્યાપારી જીવનમાં તેઓ જાણીતા છે. તેઓ ધર્મિષ્ઠ હતા, એટલું જ નહીં, પરંતુ સમજુ અને ઉદાર પુરૂષ હતા. એક વખત સંયમ લેવાની પણ તેઓની તૈયારી હતી. સંજોગવશાત્ ચારિત્રાવરણીય કર્મના ઉદયને લીધે તેઓ સંયમ લઈ ન શકયા છતાં અવાર નવાર ધાર્મિક અનુષ્ઠાનમાં તેમના જીવનને ઘણે ભાગ ગ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034499
Book TitleDharmveer Sheth Venichandbhai
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal
Publication Year1928
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy