SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ તદ્દન તેવી સ્થિતિ નથીમાત્ર થોડા પ્રયત્ન કરવાની જરૂર રહે છે. તે વ્યાજબી પ્રયત્ન થવો જોઈએ. જે કોમ મહાજન તરીકે-ગામેગામના ટ્રસ્ટી તરીકે જાહેર છે પ્રજામાં વિશ્વાસપાત્ર સ્થાયિ જમાવટ પાડેલી વિશ્વાસપાત્ર કેમને પોતાના ખાતા માટે બીજા પાસે વિશ્વાસ સ્થિર કરાવવું પડે એ બહુ ખુશી થવા જેવું તે નથી જ. પછી તો જેને જે રૂચે તે ખરું. તેમાં બહુ આનંદ માનવા જેવી વાત નથી એ ચોક્કસ. ૨ સંસ્થાની હેડ ઓફીસ મહેસાણામાં જ રહેવી જોઈએ. બ્રાંચ ભલે મુંબઈ રહે, નાણુંના ઉત્પન્ન માટે નાણું ભલે મુંબઈ વિગેરે જ્યાં ગ્ય સ્થળ તજરેને ઠીક લાગે ત્યાં રહે. પરંતુ હેડઑફિસ તે મહેસાણાજ રહે ત્યાં સુધી વધારે ઉત્તમ પ્રકાર છે. આપણુ દરેક બાબતનાં ખાતાંઓની હેડ ઓફિસનું મથક મુંબઈને કરી નાંખવાને એ અર્થ છે, કે-જે દેશના સ્થાનિક લેકમાં કામકાજ કરવાની શક્તિ ઘટતી જાય છે, એ તેને ગર્ભિત અર્થ છે. આપણે તો એવું જ ઈચ્છીએ કે મુંબઈમાં પણ કાર્યકરનારાઓની શક્તિ રહે, અને દેશમાં પણ રહે. હેંડ - ફીસ છતાં મુંબઈ લઈ જવી ઘટે તે એટલી અશક્તિ કબુલ કરી લેવી જોઈએ, બીજું શું ? પછી ભલે ત્યાં વધારે સગવડનું બાનું મળી જાય. પણ અહીં તે પ્રમાણે સગવડ નથી, એટલી અશક્તિ તે ખરીજ. માટે જ્યાં સુધી તેમ ન થાય ત્યાં સુધી ઉત્તમ છે. ૩ કેળવણું ખાતાનો ઉપયોગ જૈન જ્ઞાન અને તેમાં પણ જેમ બને તેમ સમ્યગ જ્ઞાનને સમ્યગ રીતે પ્રચાર થાય તેમાં જ થવું જોઈએ. નહીં કે કેળવણી એટલે ગમે તે જાતની કેળવણમાં તને ઉપયોગ થવો જોઈએ. અલબત્ત કેળવણી શબ્દને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034499
Book TitleDharmveer Sheth Venichandbhai
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal
Publication Year1928
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy