SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ એક શાસનસેવકમાં સેવાની જે યોગ્યતા હેવી જોઈએ, તે પ્રથમ તમારે ધરાવવી પડશે. એટલે કે આવેશ,ઉતાવળ, કે ધાંધલિયાપણું ન હોવું જોઈએ. રાગદ્વેષ-વૃત્તિ જેમ બને તેમ ઓછામાં ઓછી, સામી વ્યકિતનું હિત કરવાની બુદ્ધિ,શાસનનું માત્ર અહિત અટકાવવાની શુદ્ધ કર્તવ્યબુદ્ધિ, જાગ્રત્ સ્થિતિ, શાંતિ અને વિવેક એ વિગેરે ગુણે હોવા જોઈએ. ઉપરાંત બીજાને શાસન કરવા માટે, આજેય વચન થઈ શકે તેવી યોગ્યતાવાળી વ્યકિતને જ છુટ આપી શકાય. તેને ક્રમ પણ નીચે પ્રમાણે પ્રથમ તે તેને સમજણ આપીને, રાગ બતાવીને ઠેકાણે પાડવાને પ્રયત્ન કરી જેવો જોઈએ. પછી જરા જનસમાજની દ્રષ્ટિમાં દે ઉઘાડા પડાવીને શરમાવવા પ્રયત્ન કરવો જોઈએ. તેમ છતાં કંઈ પરિણામ ન જણાય તે તેને વડિલે, લાગવગવાળા, ગુરુ, કે આચાર્યાદિકને મળીને તે પ્રયત્ન કરી જોઈએ. કારણ કેદરેક-જેને જેમ ફાવે તેમ, ફાવે તેને શાસન કરવા માંડે તે અવ્યવસ્થા વધી જાય. એ અવ્યવસ્થા કરતાં કઈ વખતે એવી વ્યક્તિઓ એકંદર શાસનને વધારે નુકસાન કરતી ન હોય, એવી સ્થિતિમાં તેને ચલાવી લેવી એ પણું કર્તવ્ય થઈ પડે છે. વ્યવસ્થા ખાતર જ ગુરુઓ, સંઘાડા વિગેરે ગોઠવણ છે. તેમાંથી તેઓ બાતલ કરી નાંખે, તે તેની તે તે વર્ગમાં ગણતરી જ ન રહે. એટલે અયોગ્યને શાસન કરવાને સૌથી પહેલું એ સંસ્થાના અધિકારીઓદ્વારાજ કામ લેવું જોઈએ. આ રીત તે સંસ્થા વ્યવસ્થિત હોય ત્યારે વાપરી શકાય તેવી (રીત) છે. કારણ કે પોલિસ અમલદારની ભૂલ કે બીજા કોઈ અમલદારની ભૂલ બદલ તે તે ખાતાના ઉપરી અધિકારી પાસે શાસન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034499
Book TitleDharmveer Sheth Venichandbhai
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal
Publication Year1928
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy