SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ હતાં, તેમાં સ્કૂલના ન થાય એ હેતુથી જ માત્ર રોકાણ કરવામાં આવતું હતું. તેપણ વેણચંદભાઈને એટલેથી સંતેષ વળે ખરે કે? દીક્ષા નથી લેવાતી તે ખાતર અમુક વર્ષો સુધી છ વિગઈને ત્યાગ રાખે. પછી પણ ઘીનો ત્યાગ રાખી તેલ વાપરતા હતા. પરંતુ આંખને અડચણ આવવા લાગી અને છેવટે એક આંખ ગઈ પણ ખરી. આખરે કેટલાક મુનિમહારાજાની આજ્ઞાથી નિવિયાતું ઘી વાપરવાનું રાખ્યું હતું. તેમની ભાવના હમેશ એવી રહ્યા કરતી હતી કે-“ દીક્ષા એ ચારિત્ર પાળવાનો ધોરીમાર્ગ છે. ચારિત્ર વિના ત્રણે કાળમાં આત્મકલ્યાણ અસંભવિત છે. જ્યારે એ દિવસ ઉદયમાં આવે ?” આવી ભવનાશિની ભાવના પણ તેમના દિલમાં હમેશ રહા કરતી હતી. તેમની જિંદગી લગભગ હદયના ભાવથી સાધુ જેવી કહી શકાય અને તેમને નિક્ષેપાની દષ્ટિથી દ્રવ્યમુનિ પણ કહેવા ધારિયે તે કહી શકાય, એવી તેમની આત્મપરિણતિ રહેતી હતી. આ સંયમધર્મની વિશેષ વિશેષ પ્રકારે આરાધના કરવાના હેતુથી જ તેઓ મહિનામાં ૧૫ પંદર પૌષધ કરતા હતા. ઉપરાંત, ખાસ મોટા પર્વદિવસો હોય તે તે જુદાજ, અને પૈષધ ન હોય તે દિવસે ખાસ કામ સિવાય દિવસને ઘણે ભાગ સામાયિકમાં જ ગાળતા હતા. તથા ઘણે વખત દિવસે કામ કરી રાત્રે પિષધ લઈ લેતા હતા. વળી “મારાથી દીક્ષા તે લેવાતી નથી, પરંતુ કઈ ભાવિતાત્મા દીક્ષા લે તે તેને મદદ કરવી, તથા તેના સંયમધર્મમાં જેમ વધારે સહાયક થવાય તેમ તે અવશ્ય કરવું જ જોઈએ, જેથી કરી ભવાંતરમાં પણ એ પ્રસંગ પ્રાપ્ત થાય.” આ ઉદ્દેશથી જ તેમણે “દીક્ષા લેનારના કુટુંબીઓને સહાયક ખાતું ” વિગેરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034499
Book TitleDharmveer Sheth Venichandbhai
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal
Publication Year1928
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy