SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ પરંતુ જેઓના જીવનમાં કોઈ પણ વિશિષ્ટતાઓ હોય છે તેઓની નોંધ લેવી જ જોઈએ. અને જે તેમને કરવામાં આવે તો જગત્ તેનું રાણી રહે છે. તથા, જેએને જીવન પ્રકાશ જેટલા પ્રમાણમાં ચમકતા હોય છે, અને જેટલા પ્રમાણમાં તે સજજનેના ચિત્તને આકર્ષી શકે છે, તેટલાજ પ્રમાણમાં તેની કીર્તિગાથા ઉચારીને જગત ત્રણમુક્ત થઈ શકે છે. અને તેમ થવું જ જોઈએ, એ સ્વાભાવિક છે. આવું કંઈક વેણચંદભાઈના જીવનમાં વાસ્તવિક રીતે છે, એમ જોઈ વિચારીને અમે તેમનું જીવનચરિત્ર લખવાને પ્રેરાયા છીએ. ૨. જૈનશાસનમાં સ્થાન વાસ્તવિક રીતે શ્રીયુત વેણચંદભાઈનું સ્થાન શાસનધુરાના વર્તમાન વાહકના બીજા વર્ગમાં પહેલે નંબરે છે. કારણકે–પહેલાં વર્ગમાં હું-શ્રમણ યા શ્રમણી રૂપે વિચરતા - વર્ગને મૂકું છું. તે વર્ગમાં છેલ્લે નંબરે પણ વેણચંદભાઈને સ્થાન નથી, એમ ચકકસ કહું છું. બન્ને પ્રકારને શ્રમણવર્ગ પહેલા વર્ગમાં એટલાજ માટે છે કે–શાસનની ધુરા વહન કરવામાં એ વર્ગનું અનન્ય સ્થાન છે. તેઓ આત્મકલ્યાણ સાધે છે. ઉપરાંત, ભગવાનના શાસનના પ્રવનમાં પણ તેમને હજુ તે અસાધારણ ફાળે છે જ છે. તે વર્ગમાં કેટલીક વ્યકિતએ, ઉંચા ખાનદાન કુટુંબમાંથી બહાર નીકળી આવેલી છે, ત્યારે કેટલીક વ્યક્તિઓને સુવાસ પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034499
Book TitleDharmveer Sheth Venichandbhai
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal
Publication Year1928
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy