SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ કઈ કઈ વાર હું માથા પરની ચટલીને દેરી વતી બાંધી લઈ અદ્ધર બાંધતે હતો, અને સારી રીતે ઉચ્ચ સ્વરે ગાથાઓ ગોખતે હતે. તમે પણ તેવી રીતે સાવધાનીપૂર્વક અભ્યાસ કરે. આળસને ત્યાગ કરીને જ સારે અભ્યાસ થઈ શકે છે. આળસના ત્યાગ માટે આવા ઉત્કટ પ્રગો કરવા પડે, તે કરોને પણ અભ્યાસ સારે કરે.” આ ઉપરથી તેમને ઉત્સાહ, ખંત અને જ્ઞાનાભ્યાસની તત્પરતા આપણે જોઈ શકીએ છીએ. પ્રતિકમણનાં સૂત્ર, જીવવિચાર, નવ તત્વ, ત્રણ ભાષ્ય, અને કર્મગ્રંથ વિગેરે પ્રકરણેને અભ્યાસ તેમણે કર્યો હતો. આજે અભ્યાસ કરનારાઓની સંખ્યા જોતાં આ અભ્યાસ ઘણેજ નજીવા લાગશે. પરંતુ જે સમયની આપણે વાત કરીએ છીએ, તે વખતે આ અભ્યાસ ઘણે ગણાતું હતું. આટલા અભ્યાસીઓની પણ તે વખતે ઘણી જુજ સંખ્યા હતી. અમદાવાદ જેવા શહેરમાં પાંચ પચ્ચીસ ભાઈઓ કે રાધનપુર, પાટણ કે સુરત વિગેરે જેવામાં પાંચ દશ ભાઈઓ આપણને મળી શકે. જ્યારે આજે કદાચ સેંકડોની સંખ્યામાં મળે, છતાં આજના અભ્યાસીઓ કરત તે વખતના અભ્યાસી. એમાં ખાસ જે વિશેષતા હતી તે આપણે ધ્યાન બહાર રાખવી જોઈએ નહીં. ડું પણ જ્ઞાન તેઓના જીવનમાં જે પરિણામ પામતું હતું, તેના ઉપર પ્રીતિને જે જેસ્સ તેઓમાં વહેતે, તે કદાચ આજના અભ્યાસીઓમાં ભાગ્યે જ મળશે. વળી આજે અભ્યાસ મોટે ભાગે આજીવિકાના સાધન તરીકે ઉપયોગમાં લેવાય છે, માટે તેને આપણે કેળવણી કહીએ છીએ. તે વખતે તે આ જીવિકાના સાધન તરીકેની કેળવણું ઉપર બતાવ્યા પ્રમાણે દરે આ અભ્યાસ આ સંખ્યા હતી. અભ્યાસીઓની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034499
Book TitleDharmveer Sheth Venichandbhai
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal
Publication Year1928
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy