SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મતત્વ વિન થતું નથી, કારણ કે તે વૃત્તિઓ પોતે જ સ્વતઃકુર્ત હોય છે, તેની ખીલવ ને માટે કોઈને કશે પ્રયત્ન કરવો પડતો નથી, એ વાત હું તને આગળ કહી ગયો છું. નિઃસંશય, એટલું થાય કે જેમ જેમ માનસિક વૃત્તિઓ કેળવાય તેમ તેમ પાશવવૃત્તિઓ દબાતી જાય, અર્થાત બન્નેનાં ઉપાદાને ભિન્ન ભિન્ન હોવાથી પાશવવૃત્તિઓનું દમન થાય એ સ્વાભાવિક છે; પરંતુ વૃત્તિઓનું યથાયોગ્ય દમન એજ વસ્તુતઃ વૃત્તિઓનું યથાર્થ અનુશીલન છે. શિષ્ય પરંતુ, યેગીઓ અન્ય વૃત્તિઓને ખૂબ કેળવીને અથવા તે બીજા કોઈ ઉપાયથી પાશવૃત્તિનો છેક ધ્વંસ કરી નાખે છે તે યોગ્ય કહેવાય કે નહિ ? ગુર–પ્રયત્ન કરવાથી કામાદિ વૃત્તિને ઉચ્છેદ ન થાય એવું કશું જ નથી; પરંતુ તે વ્યવસ્થા અમારા અનુશીલન ધર્મમાં નથી. સંન્યાસ ધર્મને માટે જ તેને રહેવા દે, કારણ કે સંન્યાસ એ નિવૃત્તિનો માર્ગ છે, અને અનુશીલન એ પ્રવૃત્તિને માર્ગ છે. ' શિષ્ય–અસ્તુ. આ૫ના સામંજસ્યતવને સામાન્ય નિયમ સમજાય તેવો છે. અર્થાત જે સ્વતઃ વૃત્તિ છે તેને બહુ વધવા ન દેવી અને જે વૃત્તિ સ્વતઃસ્કૃત નથી તેને ખીલવવાનો પ્રયત્ન કરે એ વાત તે બરાબર સમજાઈ, પરંતુ તેમાં એક શંકા છે. પ્રતિભા–જેને અંગ્રેજીમાં “ જીનીયસ” કહેવામાં આવે છે તે શું સ્વતઃસ્કુર્ત નથી? પ્રતિભા એ કઈ એક ખાસ પ્રકારની વૃત્તિ નથી એ વાત મારા જાણવામાં છે, પરંતુ ધારો કે કોઈ માનસિકવૃત્તિ એવી હોય કે જે પોતાની મેળે બળ કરી આગળ વધવા માગતી હોય તો શું તેને વધવા ન દેવી ? હું માનું છું કે એવી વૃત્તિને દબાવવી તેના કરતાં આત્મહત્યા કરવી એજ વધારે યોગ્ય છે. ગુ —તારું કહેવું બરાબર છે. શિષ્ય –જે ઉક્ત કથન યથાર્થ હોય તે હવે પ્રશ્ન એ છે કે અમુક વૃત્તિને વધવા દેવી અને અમુકને ન વધવા દેવી એનો નિર્ણય કેવી રીતે કરે ? અમુક વસ્તુ પીત્તળની છે કે સુવર્ણની છે એને નિર્ણય કરવા માટે કઈ કસોટી તે જોઈએને ? આપની પાસે એ કોઈ કસોટીને પથ્થર છે ? ગુર–હું કહી ગયો છું કે સુખને ઉપાય ધર્મ છે, અને મનુષ્યત્વની પ્રાપ્તિ એજ સુખ છે. એટલા માટે સુખ એજ આપણું કટી. શિષ્યઃબહુ ભયંકર વાત ! હું એમ કહું કે ઇન્દ્રિયની પરિતૃપ્તિ એજ ખરું સુખ છે, તે આપ તેની સામે કેવી રીતે વાંધો લઈ શકશો ? ગુર–નહિ. હવે તારાથી એમ કહી શકાય નહિ; કારણ કે સુખ એટલે શું એ વિષય હું તને અગાઉ સમજાવી ગયો છું. આપણું સમસ્ત વૃત્તિઓનું સ્મૃર્તિ, સમસ્ત વૃત્તિઓનું પરસ્પર સામંજસ્ય અને તેમની યથાયોગ્ય પરિતૃપ્તિ એજ યથાર્થ સુખ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy