SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મતવ મન. શરીરને કેટલાંક પેટા અંગ છે–જેમ કે હાથ-પગ વિગેરે કમેંદ્રિય, આંખ-કાન વિગેરે જ્ઞાનેન્દ્રિય, મસ્તિક-હદય-વાયુકેષ વિગેરે જીવનસંચાલક પ્રત્યંગો, અસ્થિ મા–મેદ-માંસ-રુધિર વિગેરે શારીરિક ઉપાદાને, અને સુધા-તૃષા વિગેરે શારીરિક વૃત્તિઓ આ સર્વ પ્રત્યંગેની યથાયોગ્ય પરિણતિ (ખીલવણી) થવી જોઈએ. શરીરનાં પેટા અંગ જેમ મેં ગણવ્યાં તેમ મનને પણ કેટલાંક પેટા અંગ છે. જેમ કે શિષ્ય:–મનસંબંધી વાત હવે પછીને માટે રહેવા દે. અત્યારે તે શારીરિક પરિણતિઓના સંબંધમાંજ ચર્ચા થવા દે; કારણ કે પ્રથમ જો તે સમજાય તે પછી આગળ જતાં મનને વિષયમાં કઠિનતા જેવું કાંઈ જણાય નહિ. આપે જે શારીરિક પ્રત્યંગ ગણાવ્યાં તેની કેવી રીતે પરિણતિ થઈ શકે ? બાળકના, શરૂઆતમાં નાના અને દુર્બળ જણાતા બાહુઓ, વય વધવાની સાથે પોતાની મેળેજ બળવાન અને પરિણત થતા જાય છે. એમાં વળી અન્ય પ્રયત્નને અવકાશજ કયાં રહે છે ? ગુર:–તેં જે સ્વાભાવિક પરિણતિની વાત કહી તેનાં બે કારણો છે. હું પણ તેજ બે કારણે ઉપર ભાર મૂકવા માગું છું. આ બે કારણોમાં પ્રથમ કારણુ પિષણ અને બીજું કારણ ગતિ અથવા હીલચાલ. જે એક બાળકના બાહુને તેના ખભાની સાથે નાનપણથી જ બાંધી રાખવામાં આવે, અને બાહુમાં લેહી હરીફરી શકે નહિ એવી વ્યવસ્થા કરવામાં આવે તો એ બહુ વધારે પુષ્ટ થઈ શકે નહિ, એટલું જ નહિ પણ અવશ્ય તે દુર્બળ અને નિરર્થક પણ બની જાય; કારણ કે બાહુની પુષ્ટિ માટે જે લોહી જોઈએ તે બહુ મેળવી શકે નહિ. બાહુને બધિવામાં ન આવે તે એક બાળક પોતાનો હાથ કોઈ પણ સમયે હલાવી શકે નહિ એ બંદોબસ્ત કરવામાં આવે તેપણ હલાવ્યા વિનાને–નિષ્ક્રિય પડી રહેલા હાથ નિર્બળ અને પાતળો પડી ગયા વિના રહેશે નહિ. કદાચ તે એટલે બધો નિર્બળ ન બનવા પામે તેપણ છેવટે હાથમાં જે ઝડપ આવવી જોઈએ તેવી ઝડપ તે કોઈ કાળે નહિ જ આવે. કેટલાએક બાવાએ હાથને નિરંતર ઉંચા રાખી તપસ્યાને દેખાવ કરે છે તેમને જોયા છે ! શિષ્ય:-સમજે. અનુશીલનવડે એક બાળકના કોમળ અને નાના બાહુ ધીમે ધીમે પુખ્ત વયના મનુષ્યના બાહુ જેટલા વિસ્તારવાળા-બળવાળા અને ઝડપવાળા બની શકે છે, પરંતુ મારા ધારવા પ્રમાણે એ કિયા તે સહજ રીતે થયાજ કરે છે. તેને માટે પ્રયત્નની શું જરૂર છે ? ગુરુ-તું તારા બાહુની સાથે આ બાગવાન-માળીના બાહુની સરખામણી કરી છે. તે તારા બાહુની આંગળીઓને એવી રીતે મેળવી છે કે અત્યારે તારે પાંચ મીનીટમાં એક બે લાંબા કાગળો લખવા હોય તે ખુશીથી તું લખી નાખી શકે, અને આ બાગવાન બિચારે દશ દિવસ સુધી મહેનત કરે તો પણ તારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy