SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ • ધર્મતત્વ લેખાય, તેનું જ નામ મનુષ્યને ધમ. આ સિદ્ધાંત સમજવામાં કઈક કઠિન જણાય છે, કારણ કે સહુ કોઈ જાણે છે કે મનુષ્ય જન્મ લીધો ત્યારથી જ તે મનુષ્ય ગણાય, અને તે મૃત્યુ પામ્યો એટલે મનુષ્ય નામને એગ્ય નહિ રહેતાં રાખ કે ધૂળને ઢગલે બની રહે છે. એટલા માટે એમ કહેવામાં આવે કે જ્યાં સુધી જીવન હોય ત્યાં સુધી જ મનુષ્ય “મનુષ્ય” છે અને જીવન ચાલ્યું ગયું એટલે મનુષ્ય “મનુષ્ય” મટી જાય છે, તે તેમાં શું ભૂલ છે ? આપને ઉદેશ એથી બીજે છે કે શું ? ગુ –સ્તનપાન કરનાર એક નાના બાળકમાં પણું જીવન તે છે. તેને શું મનુષ્ય કહેવાય ? શિષ્ય –કેમ નહિ ? માવ વય નાની એટલુંજ. ભલે તેને નાને મનુષ્ય કહે. ગુસ–મનુષ્યો જે જે કાર્યો કરી શકે તે તે કાર્યો શું તે બાળક કરી શકે ? શિષ્ય: એક મનુષ્ય પણ મનુષ્યજાતિનાં સમસ્ત કાર્યો પોતે એકલે કયાં કરી શકે છે ? અનેક માણસે ભારે વજનના બેજાએ ઉંચકી જાય છે, અનેક મનુષ્યોએ મહાન સમરાંગણમાં વિજય પ્રાપ્ત કર્યો છે, અને અનેક મનુષ્ય કીંગ લીયર અથવા કુમારસંભવ જેવા અદ્દભુત નાટક લખી અમર કીર્તિ પ્રાપ્ત કરી ગયા છે. આપ પિતે પણ મનુષ્ય છે, પરંતુ શું આપ એ સર્વ કાર્યો કરી શકવા સમર્થ છો ? અથવા બીજા એવા કેઈ મનુષ્યનું નામ આપી શકશે કે જે પિતે એકલે ઉક્ત સર્વ કાર્યો કરી શકે ? ગુર:- હું ન કરી શકું તેમજ એવા કે મનુષ્યનું નામ પણ અત્યારે આપી શકે તેમ નથી કે જે પોતે એ સર્વ કાર્યો કરી શકતો હોય. છતાં એક મનુષ્ય કે જેણે ઉક્ત સઘળાં કાર્યો એક કાળે કર્યા હોય એ કોઈ મનુષ્ય જન્મો જ નથી, એમ માનવાને તે હું કઈ રીતે તૈયાર નથી. તેમજ હવે પછી એ કે મનુષ્ય નહિ જન્મે એમ પણ માની શકતા નથી. શિષ્ય:-મનુષ્યથી બનવા યોગ્ય સર્વ કાર્યો એક મનુષ્યથી બની શક્તાં હોય તે કેમ કે એવાં કાર્યો કરતું જોવામાં આવતું નથી ? ગુર–પિતાની શક્તિઓની ખીલવણું સંપૂર્ણ રીતે કોઈ કરતું નથી, તેટલાજ માટે એવી શક્તિવાળા પુરુષો જોવામાં આવતા નથી. - શિષ્યઃ–પણ મૂળ વાત તો રહી જ ગઈ. કયી વસ્તુના અસ્તિત્વથી મનુષ્ય મનુષ્ય” નામને એગ્ય લેખાય એને તે કશે ખુલાસો થયોજ નહિ. શું આપ એમ કહેવા માગે છે કે પોતાની શક્તિઓની ખીલવણી થાય અર્થાત શક્તિઓનું અનુશીલન થાય તે જ મનુષ્યત્વ પ્રાપ્ત કરી શકાય ? જે એમજ હોય તે જંગલી માણસો કે જેમની એ શકિત ખીલી નથી તેમને મનુષ્યનું નામ આપી શકાય કે નહિ? ગુર–જેની કોઈ પણ શક્તિ ખીલી ન હોય (અનુશીલિત થઈ ન હોય) એવો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy