SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૩ –ધર્મ એટલે શું ' શિષ્યો ત્યારે રિલિજીઅન” એટલે શું ? તેજ સમજાવે. ગુરુ –“રિલિજીઅન” શબ્દ પાશ્ચાત્ય છતાં ત્યાંના પંડિતો પણ તેને વિવિધ અર્થોમાં વ્યવહાર કરે છે અને તેના અર્થ સંબંધે એકમત નથી.* વૃતાતે 1 થી રોડ પર તત્તરથ રવાના છે અર્થાત-ષ્ટિમાં હિંસક અને અહિંસક, મૃદુ અને કૂર, ધર્મ અને અધર્મ, સત્ય અને અસત્ય, આમાંનાં જે કઈ કર્મ જે જે પુરુષ કરે છે તે તે કર્મો પિતાની મેળે તે તે કર્તામાં પ્રવેશ કરે છે. વળી પણ “Haveળધર્મ પારિમજુવાન ” ભગવાન મનુએ આ શાસ્ત્રમાં પાખંડીઓના ધર્મ–ગુણસ્વભાવ-કહેલા છે. ૬ ધર્મ શબ્દ કયારેક કયારેક આચરણ અથવા વ્યવહારના અર્થમાં પણ વપરાય છે. ભગવાન મનુએ આજ અર્થમાં કહ્યું છે કે - “રેરાપન કાતિજન ગુર્માસ્ક રાશ્યતાના” ધર્મ શબ્દના આ છ અર્થ થતા હેબને આપણા લેકે તેના ઉપયોગમાં બહુજ અવ્યવસ્થા કરી દે છે. તેઓ ધર્મ શબ્દને એક અર્થમાં ઉપયોગ કરીને બીજી ક્ષણેજ તેને બીજા અર્થમાં ઉપયોગ કરે છે, અને તેથી પિતાના સિદ્ધાંતમાંથી ચુત થાય છે. આ પ્રમાણે અનિયમિત પ્રયોગ કરતા હોવાથી ધર્મસંબંધી કાઈ પણ તરવની સુંદર રીતે મીમાંસા થઈ શકતી નથી. એ અવ્યવસ્થા આજ નવીન નથી. જે ગ્રંથને હિંદુશાસ્ત્રના નામથી કહેવામાં આવે છે તેમાં પણ એ અવ્યવસ્થા મોટા પ્રમાણમાં છે. મનુ સંહિતાના પ્રથમાધ્યાયના છેલ્લા છ કે આના ઉત્તમ ઉદાહરણરૂપ છે. ધર્મ શબ્દને કયારેક રિલિજીઅનના અર્થમાં કયારેક નીતિના અર્થમાં, ક્યારેક સદ્ગુણના અર્થમાં, કયારેક અવગુણુના અર્થમાં અને કયારેક પુણ્યકર્મના અર્થમાં પ્રયોગ થવાથી નીતિનું લક્ષણ રિલિજીઅનમાં અને રિલિજીઅનનું લક્ષણ નીતિમાં; સદગુણનું લક્ષણ કર્મમાં અને કર્મનું લક્ષણ સદ્દગુણમાં આવી જવાને લીધે એક મહાન અવ્યવસ્થા ઉભી થાય છે. તેનું એ પરિણામ આવ્યું છે કે ધર્મ (રિલિજીઅન) ગાણ ધર્મોથી મિશ્રિત, નીતિ ભ્રાંતિયુક્ત અભ્યાસ કઠિન અને પુણ્ય દુઃખજનક થઈ પડેલ છે. હિંદુધર્મની અને હિંદુ નીતિની આધુનિક અવનતિ અને ધર્મનીતિપ્રતિ આધુનિક અનાસ્થાનું મહાન કારણ ઉપર વર્ણવેલી અવ્યવસ્થા પણ છે. * ગુર--રિલિજીઅન શું છે ? શિષ્ય –તે તે જાણીતી વાત છે. પરલૌકિક વ્યવહારમાં વિશ્વાસ ? ગુર–પ્રાચીન યહૂદીઓ પરલોકને માનતા નહિ. તે યહૂદીઓને પ્રાચીન ધર્મ તે શું ધર્મ નહિ ? શિષ્ય--ત્યારે દેવદેવીમાં વિશ્વાસ ? ગુજ–ઈસ્લામ, ખ્રિસ્તી અને યહૂદી બાદિ ધર્મમાં દેવી નથી. તે સર્વ ધર્મોમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy