SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત હૃદયપૂર્વક ચાહે છે, તે કદિ પુનર્લગ્ન કરશે નહિ. જે નાતમાં વિધવા-વિવાહને ચાલ છે તેમાં પણ પવિત્ર સ્વભાવવાળી, નેહાળ અને સાધ્વી વિધવાઓ પુનર્લગ્ન કરતી નથી; પણ જે કાઈ વિધવા-ગમે તો તે હિંદુ હોય કે ગમે તે જાતની હાયતે પણ પતિના સ્વર્ગવાસ પછી જે તે પુનર્લગ્ન કરવા ઇચ્છે તો તેને જરૂર તેવો અધિકાર છે. જો પુરુષને પત્નીના મરણ પછી વિવાહ કરવાને અધિકારી ગણું શકાય છે, તે સામ્યવાદ પ્રમાણે સ્ત્રી પણ પતિના મરણ પછી ઈચ્છા થતાં પુનલગ્નની અધિકારિણી છે. મનુષ્યમાત્રને અધિકાર છે કે જેમાં બીજાઓનું અનિષ્ટ ન થતું હોય એવું દરેક કાર્ય તે કરી શકે છે. તેથી પત્નીવિયેગી પતિ અથવા પતિવિગિની પત્ની બને ઇચ્છા થતાં પુનર્લગ્નનાં અધિકારી છે. આ પ્રમાણે જોતાં વિધવાને પુનઃ વિવાહ કરવાને જરૂર અધિકાર છે, પણ આ નૈતિક તત્ત્વને હજુસુધી આ દેશમાં સામાન્ય જનતાએ સ્વીકાર કર્યો નથી. જે લેકે અંગ્રેજી શિક્ષણને લીધે, અથવા વિદ્યાસાગર મહાશયના યા બ્રહ્મસમાજના કહેવા પ્રમાણે આ નીતિને સ્વીકાર કરે છે તેઓ પણ તેને વર્તનમાં ઉતારી શકતા નથી. જે મહાશકે સ્વીકાર કરે છે કે વિધવા વિવાહને અધિકાર છે, તેમનાજ ઘરની વિધવાઓ વિવાહ કરવાને આતુર હોય છે છતાં પણ તેઓ એવા વિવાહ કરવાનું સાહસ કરતા નથી. એનું કારણ સમાજનો ભય છે. એજ ભયના કારણે આ સામ્યવાદ જનસમાજમાં પ્રવેશ કરી શકયા નથી. અન્યોન્ય પ્રકારના સામ્યવાદ જનસમાજમાં દાખલ થઈ શક નથી તેનું કારણ તો એમ સમજાય છે કે પુરુષવર્ગ તે પ્રકારના પ્રચારમાં પિતાનું અનિષ્ટ સમજે છે; પણ આ વાત જરા પણ સમજાતી નથી કે આ પુનર્લગ્નને સામ્યવાદ સમાજમાં કેમ દાખલ થતો નથી ? એ કાંઈ કષ્ટસાધ્ય પણ નથી; કેાઈનું અનિષ્ટ કરનાર પણ નથી; બલકે અનેકને માટે સુખ-સમૃદ્ધિના કારણરૂપ થઈ શકે તેમ છે. છતાંય સમાજમાં તેને સ્વીકાર થવાનાં ચિન્હ જણાતી નથી; તેનું કારણ એ જ છે કે સમાજમાં લેકાચારની ઉપરવટ થવું એ તદ્દન અશક્ય જ થઇ પડયું છે.” “બીજી એક વાત છે. ઘણાં માણસો એમ માને છે કે ચિર વૈધવ્યના રિવાજને લીધે હિન્દુ-લલનાઓનું પાતિવ્રત્ય એવું દૃઢ બંધાયેલું છે કે તેને માટે બીજી જાતને વિચાર કરે પણ ઠીક નથી. અર્થાત બધી હિંદુ સ્ત્રીઓ જાણે છે કે તેના એક પતિની સાથે જ તેનું સઘળું સુખ ચાલ્યું જશે, તેથી તે પતિ ઉપર અનન્ય ભક્તિભાવ રાખે છે. આ સંપ્રદાયના લોકોની સમજણ પ્રમાણે એજ કારણથી હિંદુઓનાં ઘરમાં દાંપત્યસુખ આટલું વધારે છે, તે ભલે એ વાતને આપણે સત્યજ માનીએ. પણ જે એમજ છે તે પછી જેની સ્ત્રી મરી ગઈ હોય તે પુરુષને પણ આજીવન વિધુર રહેવાનું વિધાન શામાટે નથી ? તમારા મરણ પછી તમારી સ્ત્રીને માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy