SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત અહીં બંકિમચંદ્રની ન્યાયાધીશતરીકેની રીતભાત વિષે થોડે ઉલ્લેખ કરવામાં આવે છે. બંકિમચંદ્રના એક સગાએ આ સંબંધમાં જે લખ્યું છે તે જ અહીં આપવામાં આવે છે. તે લખે છે કે “બંકિમબાબુ અલીપુરમાં હતા ત્યારે હું પણ કોઈ કઈવાર તેમની કોર્ટનું કાર્ય જેવા જ હતા. એક વખત હાઈકોર્ટમાંથી એક યૂપીએનબેરિસ્ટર સાહેબ આવ્યા હતા, અને આરોપીના પક્ષનું સમર્થન કરતા હતા. બીજી બાજુના વકીલ તારકનાથ પાલિત હતા. તારક બાબુ બંકિમચંદ્રને સારી રીતે ઓળખતા હતા; પણ સાહેબ બહાદુર તદ્દન અજાણ્યા હતા. તેમણે ધાર્યું હશે કે એક દેશી ન્યાયાધીશ આગળ સાવધાન તાપૂર્વક બોલવાની કંઈ જરૂર નથી. તેઓ ટેબલ પર હાથ પછાડીને, હાથથી જૂદી જૂદી રીતે ચાળા કરીને તથા મના હાવભાવ કરીને સાક્ષીને ગભરાવવા લાગ્યા. મેં જોયું કે બંકિમચંદ્રનાં ભવાં ચઢી ગયાં હતાં, આંખમાંથી અગ્નિ વરસતો હતો, હોઠ દાંતનીચે દબાવેલ હતું. હું સમજી ગયો કે મેઘ ગાજ્યા વિના નહિ રહે. તરતજ વજપાત થશે. સાહેબે સાક્ષીને એક પ્રશ્ન પૂછે. સાક્ષીના જવાબ આપતા પહેલાંજ બકિમચંદ્ર એકદમ બોલી ઉઠયા- “ સવાલ નકામો છે. સાહેબે આશ્ચર્યચકિત થઈને પૂછ્યું “ નકામો ?” બંકિમબાબુએ કહ્યું “બેશક નકામો !” બંકિમે તારક બાબુ તરફ જોઈને કહ્યું “તારક બાબુ ! આપ તેની સાથે આપને વખત નકામે ગુમાવશો નહિ.” આટલી નાની વાતથીજ સાહેબનું માં લાલચોળ થઈ ગયું; પણ તેમણે વધારે વાદવિવાદ ન કર્યો. કદાચ તેઓ પોતાની ભૂલ સમજી ગયા હશે. - બંકિમ બાબુ ઘેડા જ શબ્દોમાં જે સખ્ત તિરસ્કાર કરતા હતા-ડાજ શબ્દોમાં મહાન ઉપદેશ આપી દેતા હતા–એ તિરસ્કાર અને ઉપદેશ બહુ ઓછા લેક કરી શકે છે. તેઓ નાનાં નાનાં કામ ઉપરથી દરેક માણસના વિષે અભિપ્રાય બાંધતા હતા. કોઈ કાઇવાર નાની નાની વાતેના આધારે મુકમાનો પણ ફેંસલે આપતા હતા. તેમને એવો વિશ્વાસ હતો કે નાનાં નાનાં કામમાંથીજ માણસને સાચે પરિચય મળી શકે છે. કોઈ માણસની મોટી મેટી વાત સાંભળીને અથવા તેને અમુક મેટા મંડળ કે કામમાં ભળે જઈને જ તેને મોટો ધારી લેવું ન જોઈએ. આ વાતના ઉદાહરણતરીકે એક મુકદ્ધમાનો ઉલ્લેખ કરીએ છીએ. તેમની કચેરીમાં એક દિવસ એક સાધારણ મુકર્દમે રજુ થયો. એમાં પ્રતિવાદીના વકીલના પૂછવાથી સાક્ષીએ કહ્યું કે “ મેં ચેક આપતાં જોયો હતો.” સાક્ષી નિરક્ષર અને નીચ જાતિનો હતા; પણ તે મુકદ્દમો તેનીજ સાહેદી ઉપર આધાર રાખતો હતો. વકીલે બંકિમબાબુને બહુ ચાલાકીપૂર્વક કહ્યું “ હજુર, લખી લે, સાક્ષીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy