SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ર ધમતત્વ તે ભલે તેઓ પણ તે શકિત ખીલવે ! શિષ્ય –યુરોપમાં અનેક સ્ત્રીઓ અશ્વારોહણ કરી નિશાનબાજી ચલાવતાં શીખે છે, અને પુરુષોના જેટલી જ પ્રવીણતા પ્રાપ્ત કરે છે, તે સંબંધે આપ શું ખુલાસે અપે છે ? ગુચ–અભ્યાસજનિત એવાં વિકૃત દૃષ્ટાંત સમસ્ત મનુષ્યસમાજને માટે બંધ બેસતાં થઈ શકતાં નથી. અભ્યાસમાં અને અનુશીલનમાં મેં જે ભેદ દર્શાવ્યા છે, તેનું સ્મરણ કર. વિકૃત દષ્ટતિની ઉપેક્ષા કરવામાંજ લાભ છે. જેટલી જરૂરની વાત હતી તેટલી તને આ પ્રસંગે કહી દીધી. હવે, સંતાનપ્રીતિ તથા દંપતિપ્રીતિસંબધે બે બેલ કહી આ વિષય સમાપ્ત કરીશ. પ્રથમ કહી ગયો છું કે સંતાનપ્રીતિ સ્વત:રસ્કૃત છે. દંપતિપ્રીતિ સ્વત:સ્કૃત નથી; પણ ઇન્દ્રિયવાસના કે જે સ્વતઃસ્કૃત હોય છે તેની તૃપ્તિની લાલસા દંપતિપ્રીતિની સાથે સંયુકત હોવાથી એ દંપતિપ્રીતિ પણ સ્વતરફ વૃત્તિની માફક બળવતી જોવામાં આવે છે. આને લઈને એ ઉભય વૃત્તિઓ અતિ દુર્દમનીય બનવા પામે છે. અપત્યપ્રીતિ જેવી દુર્દમનીય વેગવાળી વૃત્તિ મનુષ્યમાં અન્ય કઈ હોય એમ હું ધારતું નથી. બીજું—એ બને વૃત્તિઓ અતિશય રમણીય છે. એ વૃત્તિઓના જેટલું બળ અથવા વેગ બીજી કોઈ વૃત્તિમાં હોય તે તે બનવાગ્ય છે, પરંતુ તેના જેવી પરમ રમણીય વૃત્તિ તે બીજ નથી, એમ સ્પષ્ટતાથી કહી દેવું જોઈએ. પોતાની સ્વાભાવિક રમણીયતાને લીધે આ ઉભય વૃત્તિઓએ મનુષ્યની શેષ વૃત્તિઓ ઉપર એટલે બધો કાબુમાં મેળવ્યો છે કે સંસારની સમસ્ત પ્રજાના કાવ્યસાહિત્યમાં એ બન્ને વૃત્તિઓને–તેમાં પણ વિશેષ કરીને દંપતિપ્રીતિને-બહુજ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થયું છે. દંપતિપ્રીતિ અથવા સંતાનપ્રીતિ સિવાય જગતનું કોઈ પણ કાવ્ય ખાલી રહ્યું હોય એમ ભાગ્યેજ કોઈ કહી શકશે. ત્રીજું–સાધારણ મનુષ્યોને માટે એ બે વૃત્તિઓ જેટલી બીજી કોઈ વૃત્તિ સુખદાયી થતી નથી. અલબત્ત, ભક્તિ અને જાગતિકપ્રીતિનું સુખ સૈાથી વિશેષ તીવ્ર તથા ઉચ્ચ છે, તેપણું અનુશીલનાવના તે સુખની પ્રાપ્તિ અસંભવિત છે. એ અનુશીલન પણ કઠિન જ્ઞાનનું સહગી છે. સંતાનપ્રીતિનું જે સુખ છે તેને માટે અનુશીલનની જરૂર રહેતી નથી. દંપતિપ્રીતિનું સુખ જો કે કેટલે અંશે અનુશીલનની અપેક્ષા રાખે છે, તે પણ તે અનુશીલન બહુ સહજ અને સુખકર હેવાથી તેમાં વિશેષ શ્રમ પડતો નથી. ઉપર જણાવેલાં કારણોને લીધે અનેક સમયે ઉકત બને વૃત્તિઓ મનુષ્યના ધર્મપાલનમાં વિનભૂત થાય છે. ઉક્ત વૃત્તિઓ પરમ રમણીય અને સુખદાયક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy