SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ ધર્મતવ પ્રીતિ એજ ધર્મને મુખ્ય સાર, અનુશીલન મુખ્ય ઉદ્દેશ તથા સુખનું મૂળ છે. મનુષ્યત્વની અંતિમ અવસ્થા પણ એજ હોવા ગ્ય છે. માટે સંતાનપ્રીતિના અનુચિત સ્કરણથી ધર્મનાશ, સુખનાશ તથા મનુષ્યત્વનાશ ન થાય તે માટે સર્વદા સાવચેત રહેવાની જરૂર છે. જનસમાજનો મોટો ભાગ આવી વૃત્તિઓની ગુલામગીરીમાં સપડાઈ જાય છે, અને ઈશ્વરત્વ તથા મનુષ્યત્વને છેક વિસરી જાય છે. તેઓ એમજ માની બેસે છે કે સંતાનનેહવિના ઈશ્વર કે જગત જેવી બીજી કોઈ વસ્તુજ નથી. પિતાના પુત્ર-પરિવાર સિવાય અન્યને માટે કાંઈ કર્તવ્ય હેય એ તેને ખ્યાલ પણ આવતો નથી. આ સર્વે પરિણામ સ્વતઃકુર્તી વૃત્તિઓના અનુચિત રણમાં થીજ પ્રકટે છે, એ વાત તું સમજી શક્યો હોઈશ. આની સાથે બીજી પણ એક વાત લક્ષમાં રાખવા જેવી છે. અવસ્થાવિશેષમાં પુત્રસ્નેહરૂપી વૃત્તિનું દમન કરવાને બદલે તેને વિશેષ પ્રદીપ્ત કરવી એ પણ કર્તવ્ય છે. અન્યોન્ય પાશવવૃત્તિઓની સાથે તેની સરખામણી કરતાં એક બહુજ મહત્ત્વનો ભેદ સ્પષ્ટ થઈ શકે છે, અને તે એજ છે કે તે પુત્રને હવૃત્તિ કામાદિ નીચવૃત્તિની માફક સર્વદા તેમજ સર્વત્ર સ્વતઃસ્કૃત હેતી નથી. એવા પણ નરપિશાચ તથા નારીપિશાચણીઓ જોવામાં આવે છે કે જેઓની આ અપત્યનેહરૂપી પરમ રમણીય, પવિત્ર તથા સુખકર સ્વાભાવિક વૃત્તિ છેક લુપ્ત થઈ ગઈ હોય છે. કેટલીક સામાજીક કુરીતીઓને લઈને પણ આ વૃત્તિનો લોપ થાય છે. મેં જોયું હશે કે અનેકવાર માતાપિતારૂપી પિશાચો ધનની આશાથી પિતાના પુત્રને કે કન્યાને વેચવામાં સહેજ પણ આંચકો ખાતા નથી. ત્યાં તેઓનામાં અપત્યપ્રીતિ હોય છે, એમ કેણ કહી શકે ? લેકમાં પોતાની અપકીર્તિ થશે એવા ભયથી ઘણી કુલકલંકિનીઓ પોતાના સંતાનો નાશ કરવા તૈયાર થઈ જાય છે. અનેક વ્યભિચારિણીઓ સંતાનને પરિત્યાગ કરી નાસી જાય છે. મારી કહેવાની મતલબ એટલીજ છે કે અપત્યપ્રીતિ કિંવા સંતાનપ્રીતિને અભાવ અથવા લેપ એ પણ અતિ ભયંકર અધર્મનું કારણ છે. જે સ્થળે આ વૃત્તિ યોગ્ય રીતે સ્વત: ફુર્ત ન થઈ હોય તે સ્થળે અભ્યાસહારા તેની સ્મૃતિ થવા દેવી એ આવશ્યક કર્તવ્ય છે. જે યથાયોગ્ય રીતે આ વૃત્તિને કેળવી હોય તો ઈશ્વરભકિત સિવાયની બીજી કોઈ વૃત્તિ એટલી સુખદાયી થતી નથી. સુખદાયીપણુમાં સંતાનપ્રીતિ (એક માત્ર ઈશ્વરભકિતને બાદ કરતાં) સર્વ શ્રેષ્ઠ છે. - સંતાન પ્રીતિના સંબંધમાં જેટલું કહ્યું તેટલું જ દાંપત્યપ્રીતિના સંબંધમાં પણું કહી શકાય તેમ છે. અર્થાત (૧) સ્ત્રીના પાલન તથા રક્ષણને ભાર આપણું શિરે રહેલ છે. સ્ત્રી પોતે પોતાનું આત્મરક્ષણ અથવા પાલન કરી શકે તેટલી સશકત હોતી નથી, તેથી તેના રક્ષણ તથા પાલનની જવાબદારી પુ ઉપર રહેલી છે. સ્ત્રીનું પાલન તથા રક્ષણ ન થાય તો પણ પરિણામે જગદીશ્વરની સૃષ્ટિને લુપ્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy