SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ ધમતવા પાલન કરવાને શક્તિવાન હતાં નથી. જે તેઓની રક્ષા તથા લાલન-પાલન કરવાને બજે બીજા પિતાના માથે ન લે તે તે બાળકે જીવી શકે નહિ. જે સમસ્ત બાલકે પાલન અને રક્ષા વગર રહે છે તેઓને માટે મુવા સિવાય બીજો રસ્તો રહે નહિ, અને એથી પરિણામે જગત છવ શૂન્ય બની જાય. એટલા માટે આત્મરક્ષા કરવાની જેટલી ગંભીર જવાબદારી આપણું શિરે રહેલી છે, તેટલી જ ગંભીર જવાબદારી સંતાનાદિના પાલન માટે આપણું શિરે રહેલી છે. આત્મરક્ષાની માફક સંતાનરક્ષા પણ ઈશ્વરદ્દિષ્ટ (ઈશ્વરના ઉદ્દેશમુજબનું) કર્તવ્ય છે. તેથી તે કર્મને પણ નિષ્કામકર્મમાં પરિણત કરી શકાય; એટલું જ નહિ પણ આત્મરક્ષાની અપેક્ષાએ સંતાનાદિનું પાલન તથા રક્ષણ વિશેષ જવાબદારીવાળું છે, એમ કહું તે પણ અતિશયોકિત નથી; કારણ કે જે સમસ્ત જગત્ આત્મરક્ષા માટે છેક ઉદાસીન બની જાય, અને કેવળ સંતાનાદિની રક્ષામાંજ સંપૂર્ણ લક્ષ્ય આપે તો તેથી પણ સૃષ્ટિ સુરક્ષિત રહી શકે; પરંતુ જે સમસ્ત છ સંતાનાદિની રક્ષા નહિ કરતાં પોતાની આત્મરક્ષાજ કર્યા કરે તો તે સંતાનાદિના અભાવે જીવસૃષ્ટિને લેપજ થઈ જાય. મારે કહેવાનો આશય એટલેજ છે કે આત્મરક્ષા કરતાં પણ સંતાન રક્ષા એ વધારે મહવનું ધર્મકર્તવ્ય છે. આ સ્થળે એક મહત્ત્વની વાત પ્રત્યે તારૂં લક્ષ ખેંચવું જોઈએ, અને તે એજ કે સંતાનાદિની રક્ષા અર્થે પોતાનો પ્રાણ આપવાનો પ્રસંગ આવે તે પણ તે ધર્મસંગત હાઇ કર્તવ્ય છે. આ વાત હું તને પૂર્વે કહી ગયો છું; પરન્તુ આ સ્થળે પુનઃ કહેવાને પ્રસંગ લીધે તેનું કારણ એટલું જ છે કે આ વાત આ સમયે પ્રમાણપૂર્વક રજુ થાય છે. - પશુ-પક્ષીઓ પણ પિતાનાં સંતાનોની રક્ષા કરે છે. ધાર્મિક જ્ઞાનને લીધે તેઓ એમ કરે છે, એમ કહી શકાય નહિ; પણ અપત્યપ્રીતિ એ એક સાધારણ વૃત્તિ છે, અને તે વૃત્તિને વશીભૂત થઈ તેઓ તેમ કરે છે. પુત્રપ્રેમ જે સ્વતંત્ર સ્વાભાવિક નવૃત્તિ હોય તે તે સાધારણ પ્રીતિવૃત્તિની વિધી થાય એ બનવાયોગ્ય છે, અને ઘણીવાર તેમ બનતું જોવામાં પણ આવે છે. કેટલીક વાર આપણે જોઈએ છીએ કે અનેક પ્રાણીઓ સંતાનનેહને વશીભૂત થઇ અન્યનું અનિષ્ટ કરતાં આંચકે ખાતા નથી. જાગતિકપ્રીતિ અને આત્મપ્રીતિ વચ્ચે વિરોધ ઉત્પન્ન થવાને ભય મેં પૂર્વે દર્શાવ્યો હતો તે જ પ્રમાણે જાગતિકપ્રીતિ અને અપત્યપ્રીતિ વચ્ચે પણ એ ભય તથા સંશય ઉભો થાય છે. ' જાગતિકપ્રીતિ અને સંતાનપ્રીતિ વચ્ચે વિરોધ ઉત્પન્ન થવાનો ભય રહે છે, એટલું જ નહિ પણ ઘણીવાર સંતાનપ્રીતિની સાથે આત્મપ્રીતિ પણ જોડાયેલી હોય છે, એમ ન્યાયની ખાતર કહી દેવું જોઈએ. “આ મારે પુત્ર છે માટે બીજાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy