SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૨૨ મે-આત્મપ્રાંતિ ૧૫૩ વાદનાં સ્થાને તારાથી નિશ્ચિત થઈ શકે એટલા માટે જ મેં હિતવાદસંબંધી અને ઇસારે કર્યો છે. શિષ્ય –એ સ્થાનેનું જરા સ્પષ્ટીકરણ કરે. ગુર–હિતવાદ તથા અનુશીલનવાદ, બંનેને પ્રીતિવૃત્તિના સામંજસ્યમાં સમાવેશ થઈ જાય છે. સર્વ ભૂતપ્રત્યે સમાન ભાવ રાખ જોઈએ; પરંતુ જે સમયે વ્યક્તિ-વિશેષનું હિત પરસ્પર વિરોધી જણાય તે સમયે અકડા મૂકીને તથા નિષક્ષપાત બુદ્ધિએ તુલના કરીને જનસમાજના મોટા ભાગનું વિશેષ હિત કર્યા સમાચેલું છે, તેને નિર્ણય કરવો જોઈએ. તટસ્થપણે રહી બે વ્યક્તિઓના હિતાહિતને નિર્ણય કરે એ કાર્ય બહુ કઠિન નથી, પરંતુ જ્યારે આત્મહિત અને પરહિત વચ્ચે વિરોધ ઉત્પન્ન થાય છે, ત્યારે મનુષ્ય પોતાની સમતોલન વૃત્તિને ગુમાવી બેસે છે. એટલા માટે એ સ્થળે નીચેના નિયમો સદા સ્મરણમાં લાવવા જોઈએ - (૧) જ્યારે એક તરફ તારું પોતાનું હિત સમાયેલું હોય અને બીજી તરફ એક કરતાં વધારે મનુષ્યનું સરખું હિત રહેલું હોય, ત્યારે તારે આત્મહિત ત્યજી દઈ પરહિત કરવું એ ધર્મ છે. (૨) જ્યારે એક તરફ તારું પિતાનું હિત સમાયેલું હોય અને બીજી તરફ બીજા કોઈએક મનુષ્યનું અધિક હિત સમાયેલું હોય, તે તે સ્થળે પણ તારે પરહિતજ કરવા તત્પર થવું જોઈએ. (૩) જયારે એક તરફ તારું વિશેષ હિત સમાયેલું હોય અને બીજી તરફ બીજાનું અ૫હિત સમાયેલું હોય તે સ્થળે જે તરફની હિતની માત્રા એકંદરે વિશેષ જણાય તે તરફનું હિત સાધન કરવું એજ કર્તવ્ય છે. જે સામા પક્ષના હિતની માત્રા એકંદરે વિશેષ પ્રમાણમાં જાય તો સામા પક્ષનું હિત થવા દેવું અને જે તારા પક્ષનું હિત વિશેષ પ્રમાણમાં થતું હોય તે તારે પિતાનું હિત સાધવું. શિષ્ય –પણ (૪) જે સ્થળે બન્ને પક્ષનું હિત સમાનભાવે રહેલું હોય ત્યાં શું કરવું ? ગુર–તે સ્થળે પરહિત થવા દેવું એજ ધર્મ અથવા કર્તવ્ય છે. શિષ્ય–કેમ? જે સર્વ ભૂત માત્ર સમાનજ હેય તે પછી ઉકત પ્રસંગે પણ સ્વ તથા પર પ્રત્યે સમાન ભાવ કેમ ન રાખવો ? ગુર–તેનો ઉત્તર અનુશીલનવાદ બહુ ચગ્ય પ્રકારે આપે છે. પ્રીતિવૃત્તિ પરાનુરાગિણી હોય છે. કેવળ આત્માનુરાગિણી (સ્વાથ) પ્રીતિને પ્રીતિ કહી શકાય નહિ. પિતાનું જ હિત સાધીને બેસી રહેવાથી પ્રીતિનું અનુશીલન, સ્કરણ તથા સાર્થકય થતું નથી. પરહિત સાધનાથે જ પ્રીતિને ઉપયોગ થાય તે જ તે પ્રીતિવૃત્તિ વિશેષ ઉન્નત તથા દિવ્ય બની શકે. એટલા માટે જ્યારે સ્વાર્થ તથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy