SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ ધમતવ તેવું બની શકે એમ નથી. સમસ્ત જગત ક્રિશ્ચિયન ધર્માવલંબી થાય તો પણ જર્મને જર્મનક્રિશ્ચિયનને અને ફેંચે ફેંચક્રિીઅન સિવાય અન્ય કોઈને ચાહી શકવાના નહિ. હવે પ્રશ્ન એ છે કે યુરોપીય પ્રીતિ દેશવ્યાપક બનવા છતાં શામાટે વિશેષ આગળ ગતિ કરી શકતી નથી? આ પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે સા પ્રથમ પ્રીતિસ્કૃતિમાં મુખ્ય વિરોધી વસ્તુ કયી છે તેને આપણે વિચાર કરવો જોઈએ. મને વિચાર કરતાં એમ જણાયું છે કે આત્મપ્રીતિ એ તેમની પ્રીતિસ્કૃતિમાં મુખ્ય વિનસ્વરૂપ છે. પશુ-પક્ષીઓની માફક મનુષ્યોમાં પણ આત્મપ્રીતિની અતિશય પ્રબળતા જોવામાં આવે છે. તેમનામાં કુદરતી રીતે જ પરપ્રીતિ કરતાં આત્મપ્રીતિ બહુજ બળવાન હોય છે. એટલા માટે જે ઉન્નત ધર્મ દ્વારા આપણે સ્વાર્થી જીવનને અંકુશમાં ન રાખીએ તે પ્રીતિને વિસ્તાર આત્મપ્રીતિની સીમા બહાર એક પગલું પણ આગળ વધી શક્તિ નથી. જ્યાં સુધી પિતાના સ્વાર્થને ધક્કો ન લાગતો હોય અને આગળ પાછળ કાંઇ બદલે મળ્યો હોય કે મળવા સંભવ હોય ત્યાંસુધી જ આત્મપ્રીતિની ખીલવણી માણસથી થઈ શકે છે, એથી લેશ પણ તે આગળ વધી શકતું નથી. આપણું પારિવારિક પ્રીતિને આત્મપ્રીતિ સાથે બિલકુલ વિરોધ આવતે નથી; કારણ કે આ મારો પુત્ર, આ મારી ભાર્યા, અને આ સર્વ મારા સુખનાં સાધન છે, એમ માની તેમને ચાહવાને આપણને સ્વભાવ પડી ગયો હોય છે. તેથી આપણું કુટુંબ, મિત્રમંડળ, આશ્રિતવર્ગ તથા અનુચરવર્ગને આપણે પ્રેમથી ચાહીએ છીએ. એ જ પ્રમાણે ગામ, નગર કે દેશને પણ આપણા સુખને માટે આપણે ચાહી શકીએ છીએ, પરંતુ જગતની સાથે આપણે કશો સંબંધ હોય એમ આપણને સમજાતું નથી અને તેથી સમસ્ત જગતને આપણે પ્રેમપૂર્વક ચાહી શકતા નથી. આ પૃથ્વી ઉપર લાખે અને કરે મનુષ્યો વસે છે, તેમને દેશ–પ્રાંત અલલેનારા ઓ બગભગત! તમારા જેવાઓના પ્રતાપે જ દેશ નિધન બની જઈને દરવરસે લાખો અને કરોડો માણસો ભુખમરાથી, દુષ્કાળાથી અને વ્યાધિઓથી મરે છે એ શું ચાખીને ચટ વાત નથી? શું એ બધાઓના ખુની તમે નથી ? આ મહા ઘેર ગુન્હાથી બચવા માટે શું ઈશ્વરની આંબેમાં પણ તમે ધૂળ નાખી શકશે? જ્યાં સુધી ગાંધી જે ગુરુ આવી બાબતો ચોખી રીતે સમજાવનાર તમને નહોતો મળ્યા, ત્યાં સુધી તે અજાણપણને પણ બચાવ કદાચ ચાલી શકે, પણ હવે તે ચોખા-ઇરાદાપૂર્વકનાજ ખુનીઓ તમે ખરા કે નહિ? જાગો, અને તમારું ભલું તાકીને એવા ધંધાથી છેટા રહે ! ચાર દહાડાનું ચાંદરણું તે કાલે ટળી જશે અને પછી દીર્ધકાળ સુધી ઘર નર્કમાં સડવાનું અને નીચ યોનિઓમાં રવવાનું આવશે સંપાદક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy