SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ ધમતવ - - - બીજા લેકમાં તેનું સ્પષ્ટીકરણ કરે છે: योगस्थः कुरु कर्माणि संगं त्यक्त्वा धनंजय । અર્થાત હે ધનંજય ! સંગને ત્યાગ કરીને અને યોગમાં સ્થિર થઈને કર્મ કર. શિષ્યઃ-કાંઈજ સમજાયું નહિ. સંગ એટલે શું ? ગુરુ–સંગ એટલે આસક્તિ. કર્મમાં આપણને કોઈ પણ પ્રકારને અનુરાગ કે આસકિત ન હોવી જોઈએ. શિખ્ય ––અને ગસ્થ એટલે શું ? ગુગે--બીજા ચરણમાં તેનું પણ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે सिद्धयसिद्धयोः समो भूत्वा समत्वं योग उच्यते ॥ અર્થાત –કર્મ તો કરવજ, પરંતુ કર્મ સિદ્ધ થાય કે અસિદ્ધ થાય તેમાં સમાન બુદ્ધિ રાખવી. તમારાથી બની શકે તેટલાં કર્તવ્યો કરે પરંતુ તેમાં સફળતા કે નિષ્ફળતા પ્રાપ્ત થાય તેને માટે હર્ષ કે શેક કરશો નહિ. આવી રીતે સિદ્ધિઅસિદ્ધિમાં સમાન બુદ્ધિ રાખવી તેને ભગવાને “ગ” કહ્યો છે. આ પ્રમાણે ગમાં સ્થિર થઈને, કર્મમાં આસક્તિશન્ય બનીને કર્મનું જે અનુષ્ઠાન કરવું તેને નિષ્કામ કર્માનુષ્ઠાન કહેવામાં આવે છે. શિષ્ય:-હજી બરાબર સમજાયું નહિ. ધારો કે હું હાથમાં ખાતરીયું લઇને તમારે ત્યાં ખાતર પાડવા ( ચોરી કરવા ) આવ્યો છું. તમે તે વખતે જાગતા હે છે. આથી કરીને હું ચુરી શકયો નહિ, તેમજ તે માટે મને કોઈ દુઃખ પણ ન થયું. મેં વિચાર કર્યો કે “ભલા, ચોરી થઈ તે ઠીક છે, નહિતર કઈ નહિ.” તે સ્થળે મેં નિષ્કામ ધર્મનું અનુષ્ઠાન કર્યું એમ કહેવાય ? ગુસ –તે વિચાર કર્યો કે “ચોરી થઈ શકી તો ઠીક છે, નહિતર કાંઈ નહિ.” એ વાત બોલવામાં તે ઠીક લાગે છે, પરંતુ જે તું ચોરી કરવાના ખાસ ઉદ્દેશથીજ આવે છે તે તારા મનમાં એ વિચાર કદાપિ આવવા પામે નહિ; કારણ કે ચોરી કરવાની આકાંક્ષા રાખીને તું ન આવ્યું છે, અર્થાત ધનરૂપી ફળ પ્રાપ્ત કરવાની આસક્તિ તારા હૃદયમાં ન હોય તે ચોરી કરવાનો વિચારજ તારાથી ન થઈ શકે. જેને “કર્મ” કહેવામાં આવે છે તેમાં ચારી વિગેરેને સમાવેશ નથી થતો, એ વાત પણ તારે લક્ષમાં રાખવી જોઇએ. “ કર્મ” એટલે શું એ વાત તને હવે પછી હું સમજાવીશ. છતાં એક ક્ષણભરને માટે માની લઈએ કે ચેરીને પણ કર્મમાં સમાવેશ થઈ જાય છે, તે પણ એટલી વાત તે ચોક્કસ જ છે કે તું અનાસકિતપૂર્વક ચોરી કરવાને આવ્યો ન હતો. એટલા માટે એવાં કર્માનુષ્ઠાનને સત અથવા નિષ્કામ કર્માનુષ્ઠાન કહી શકાય નહિ. શિષ્ય—પણ મારી શંકાનું નિવારણ ન થયું. ધારો કે એક બીલાડીની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy