SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૧૧ મે-ઇશ્વરભક્તિ આ બ્રહ્મવસ્તુ જે બરાબર સમજાય તો તે પરમાત્મા સાથે કિંવા જગતના તે અંતરાત્મા સાથે આપણો કે સંબંધ છે, તેમજ આ જગતની સાથે પરમાત્માનો અને આપણે શું સંબંધ છે, વિગેરે રહસ્યો સમજી શકાય. આ રહસ્યો સમજાયા પછી “ આ જીવન કેવી રીતે સાર્થક થાય ” તે કઠિન પ્રશ્નનો ઉત્તર આપોઆપ જ મળી જાય છે. એટલા માટે બ્રહ્મનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવું કઠિન છે તેપણ યથાર્થ ધર્મ તેજ છે. મતલબ કે જ્ઞાન એજ ધર્મ અને જ્ઞાન એજ નિયસ અથવા પરમ મંગળ છે. વેદના જે અંશને “ ઉપનિષદ્દ ” એવું નામ આપવામાં આવ્યું છે તે આ જ્ઞાનવાદીઓની જ શોધનું પરિણામ છે. ઉપનિષદ્દમાં આપણું મહર્ષિઓની જ્ઞાનકીતિ પૂર્ણ પ્રમાથી પ્રકાશી રહી છે. બ્રહ્મનિરૂપણ અથવા આત્મજ્ઞાન એજ ઉપનિપદોનો ઉદ્દેશ છે. ત્યાર પછી છ દર્શનમાં આ જ્ઞાનવાદ વિશેષ વૃદ્ધિ પામતે ગયો અને તેને પ્રચાર પણ વૃદ્ધિગત થતો ગયો. કપિલના સાંખ્યમતમાં જે કે બ્રહ્મને ત્યાગ કરવામાં આવ્યો છે તો પણ તે દર્શનશાસ્ત્ર જ્ઞાનવાદાત્મક ગણાય છે. દર્શનેમાં કેવળ પૂર્વમીમાંસાજ કર્મવાદી છે. બાકીનાં સર્વ દર્શને જ્ઞાનવાદી છે. શિષ્યજ્ઞાનવાદ તે બહુ અપૂર્ણ હોય એમ મને લાગે છે. જ્ઞાનથી ઈશ્વરને જાણી શકાય પરંતુ જ્ઞાનથી ઈશ્વરની પ્રાપ્તિ કેવી રીતે થાય તે સમજાતું નથી. જાણુંવામાત્રથી કોઈ વસ્તુનાં કાંઈ થોડીજ પ્રાપ્ત થાય ? ધારો કે ઈશ્વરની સાથે આ પણુ આત્માનું એકત્વ છે એ વાતનો મને નિશ્ચય થયો, પણ તેટલાથીજ ઈશ્વરની પ્રાપ્તિ થઈ જાય એ કેવી રીતે બને ! આત્મા અને પરમાત્માને-ઉભયને એકત્ર કરનાર કેઇ એક વસ્તુ જોઈએ કે નહિ ? - ગુરૂ –તાનવડે જે ઐકય નથી પ્રાપ્ત થતું તે ભક્તિથી પ્રાપ્ત થઈ શકે છે. ભક્તિવાદીઓ પણ એમજ કહે છે કે જ્ઞાનથી તે માત્ર ઈશ્વરને ઓળખી શકાય પણ જાણવા માત્રથીજ ઈશ્વરની પ્રાપ્તિ થઈ જતી નથી. જગતમાંની અનેક વસ્તુઓને આપણે જાણીએ છીએ, પણ તે જાણવા માત્રથી શું આપણી પાસે આવી જાય છે ? આપણે જેના પ્રત્યે દ્વેષ ધરાવતા હોઈએ તેને પણ ઓળખીએ તે છીએજ, પરંતુ શું તેથી તેની સાથે આપણે આપણું ઐક્ય સ્થાપી શકીએ છીએ? નહિ જ. તેવી જ રીતે જે આપણે ઈશ્વરને જાણીએ અને છતાં તેના પ્રત્યે દ્વેષ રાખીએ તો તે આપણને કેવી રીતે પ્રાપ્ત થાય ? એથી ઉલટી રીતે જોઈએ તો જેના પ્રત્યે આપણી ચાહના–પ્રીતિ હેય તેને અનાયાસે આપણે મળી શકીએ છીએ. એક શરીરધારી મનુષ્ય પણ જે આપણી અંતઃકરણની પ્રીતિ વિના આપણી સાથે હળીમળી શકતા નથી તે પછી જે અશરીરી છે, અને જે કેવળ અંતઃકરણારાજ પ્રાપ્ત થઈ શકે તેમ છે તે પ્રીતિ કે ભક્તિ વિના કેવી રીતે પ્રાપ્ત થાય ? મતલબ કે જે આપણો ઈશ્વર પ્રતિ ગાઢ અનુરાગ હેય તેજ આપણે તેનું સત્ય સ્વરૂપ પામી શકીએ. આ પ્રકારને ગાઢ અનુરાગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy