SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ ધર્મતત્વ ભક્તિભાવ વિના ગ્રંથકારને આશય પણ તું યથાર્થ રીતે સમજવાને ભાગ્યશાળી થઈ શકે નહિ. ગ્રંથકારની સાથે તારી સહૃદયતા ન હોય તો તેનાં કથને તારે માટે નિષ્ફળ જ થાય. એટલાજ માટે મેં કહ્યું હતું કે જે જગતના શિક્ષકો પ્રત્યે આપણને ભક્તિ ન હોય તે તેમનું શિક્ષણ પણ આપણે માટે નિરર્થક થઈ પડે છે. સહૃદયતાવાળું શિક્ષણ, અને ભક્તિભાવયુક્ત જ્ઞાન એજ આપણું ઉન્નતિનું મૂળ કારણ છે. ભક્તિ સિવાય કોઈ કાળે કોઈની ઉન્નતિ થઈ નથી તેમ થાય એ સંભવ પણ નથી. શિક્ષકો પ્રત્યે ભક્તિભાવ રાખે એ પણ પરમ ધર્મ છે. શિષ્ય:–આપ જે ધર્મની અનેકવાર પ્રશંસા કરે છે તે હિંદુધર્મ તો એવા ધર્મનું શિક્ષણ આપતા હોય એમ હું ધારતો નથી. ગુસ –એવી વાતે તે મૂર્ખ મનુષ્યના મુખમાં શોભે. હિંદુધર્મ જેટલે અંશે એવી બાબતનું શિક્ષણ આપે છે તેવું શિક્ષણ જગતનો અન્ય કોઈ ધર્મ આપતો નથી. હિંદુ ધર્મમાં બ્રાહ્મણે સર્વત્ર પૂજ્ય લેખવામાં આવ્યા છે, તેનું શું કારણ છે, તે તું જાણે છે ? તેઓ વર્ણશ્રેષ્ઠ તથા એક પામરથી લઈ એક શ્રીમંત સુધી પ્રત્યેકની ભક્તિને પાત્ર લેખાય છે તેનું એજ કારણ છે કે ભારતવર્ષમાં એક કાળે બ્રાહ્મણે જ સામાજીક શિક્ષક હતા. ધર્મવેત્તાઓ પણ તેઓ, નીતિવેત્તાઓ પણ તેઓ, એટલું જ નહિ પણ વિજ્ઞાનવેત્તાઓ, પુરાણત્તાઓ, દાર્શનિક તથા સાહિત્યપ્રણેતાઓ અને કવિઓ પણ તેઓજ હતા. એટલાજ માટે હિંદુધર્મના અનંત જ્ઞાની ઉપદેશકેએ તેમની સંપૂર્ણ ભક્તિ કરવાનું લેકેને ફરમાવ્યું છે. સમાજનાં મનુષ્યો બ્રાહ્મણે પ્રત્યે સંપૂર્ણ ભક્તિભાવ ધરાવતાં હતાં. તેટલાજ માટે ભારતવર્ષ ઉન્નતિ પ્રાપ્ત કરી શક્યો હતે. ભારતવર્ષીય જનસમાજે બ્રાહ્મણ શિક્ષકોની આધીનતા સ્વીકારી તેથી જ તેઓ અનાવાસે ઉન્નતિના શિખરે પહોંચ્યા હતા. શિષ્ય –અત્યારે તો ઘણુંખરા લેક એમજ કહે છે કે બ્રાહ્મણોએ ગાઈ કરીને પિતાનું પેટ ભરવા માટે જ બ્રાહ્મણભકિતનો ભારતવર્ષમાં પ્રચાર કર્યો છે. ગુસ-એમ કહેનારાઓ પોતાની ધૂળ બુદ્ધિને લીધે બ્રહ્મભક્તિનું યથાર્થ રહસ્ય જોઈ શકતા નથી, તેથી જ તેઓ બ્રાહ્મણોને શિર ખોટો આરોપ મુકે છે. તું બરાબર વિચાર કરી દેશે તે તને જણાશે કે પૂર્વે આપણા સમાજનાં સર્વ વિધિવિધાને તથા વ્યવસ્થાઓ બ્રાહ્મણોના જ હાથમાં હતાં. આવી રીતે પોતાના હાથમાં. દરેક પ્રકારની સત્તા હોવા છતાં પણ બ્રાહ્મણોએ પિતાની આજીવિકાસંબંધે કેવી વ્યવસ્થા રાખી હતી તેને એકવાર વિચાર કરી છે. બ્રાહ્મણેથી રાજ્યના અધિકારી થવાય નહિ. બ્રાહ્મણોથી વાણિજ્ય કે ખેતીવાડીને ઘધ પણ થાય નહિ. એવી વ્યવસ્થા તેિજ પોતાને માટે બ્રાહ્મણોએ સ્વીકારી લીધી. પિતાની ઉપજીવિકા માટે આ પ્રમાણે તેમણે ઈરાદાપૂર્વક અન્ય સર્વ મહત્વના માર્ગો બંધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy