SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મતત્વ ઉપદેશ અસંપૂર્ણ છે. જ્ઞાન જ પ્રાપ્ત કરીને બેસી રહેવું એ ઉપદેશ અસંપૂર્ણ હેવાના કારણે ધર્મવિરુદ્ધ છે. કેલેજના શિક્ષણ માત્રથી વિદ્યાર્થીઓ જેમ યથાર્થ મનુષ્ય બની શકતા નથી, તેમ થોડાં ઘણું પુસ્તકો કંઠસ્થ કરવાથી પણ વિદ્યાર્થીઓ યોગ્ય પંડિત બની શકતા નથી. આ બન્ને માર્ગો અપૂર્ણ અને તેથી અનિષ્ટકારી છે. अध्याय ९ मो-ज्ञानार्जनी वृत्ति શિષ્ય –-શારીરિક વૃત્તિઓના સંબંધમાં તે આપને ઉપદેશ સાંભળ્યો. હવે જ્ઞાનાજની (જ્ઞાન મેળવનારી) વૃત્તિઓના અનુશીલનસંબંધે કાંઈક કહે તો સાંભળવાની ઈચ્છા છે.મારા સમજવા પ્રમાણે બીજા પ્રકારની વૃત્તિઓના અનુશીલનથી જે સુખ મળી શકે તે સુખ આ વૃત્તિના, અનુશીલનથી પણ પ્રાપ્ત થવું જ જોઈએ, અને જયાં સુખ ત્યાં ધર્મ પણ હોયજ. એટલા માટે જ્ઞાનાર્જની વૃત્તિઓનું અનુશીલન અથવા તે જ્ઞાન પ્રાપ્ત કરવું એ પણ કર્તવ્ય છે. ગુ –અલબત્ત તે આવશ્યક કર્તવ્ય છે, કારણ કે જ્ઞાન વિના અન્ય વૃત્તિઓનું યથાર્થ અનુશીલન થઈ શકે નહિ, એ વાત શારીરિક વૃત્તિ ના અનુશીલન સમયે હું તને બરાબર સમજાવી ચૂક છું. તે સિવાય બીજી એક બાબતને માટે પણ જ્ઞાનની જરૂર છે, અને તે બાબત ઘણું મહત્વની છે અને તે એ કે જ્ઞાન સિવાય ઇશ્વરને ઓળખી શકાય નહિ, તેમજ વિધિપૂર્વક ઇશ્વરની ઉપાસના પણ થઈ શકે નહિ. શિષ્ય-જ્ઞાન હોય તો જ ઈશ્વરપાસના થઈ શકે, એમ જો આપ કહેવા માગતા હે તે પછી ભૂખ મનુષ્યો ઇશ્વરની ઉપાસના કેવી રીતે કરી શકે ? ઈશ્વર શું કેવળ પંડિત પુરુષોને માટેજ છે? | ગુસ--ભૂખે મનુષ્ય માટે ઈશ્વરો પાસના નથી. મૂર્ખને માટે તે ધર્મ જેવી કોઈ વસ્તુ જ નથી એમ કહું તોપણ ખોટું નથી. જગતમાં જ્ઞાનપૂર્વક જેટલાં પાપો થાય છે તેમાંના ઘણાંખરાં પાપ પ્રાયઃ મૂર્ખ મનુષ્યો દ્વારા જ થાય છે. અત્રે મારે એક સ્પષ્ટીકરણ કરવું જોઈએ. જેને લખતાં વાંચતાં આવડતું ન હોય તેને જ મૂખ મનુષ્ય માની લઈશ નહિ, તેમજ જેને લખતાં-વાંચતાં આવડતું હોય તેજ જ્ઞાની એમ પણ માની લેવાનું નથી. પુસ્તક વાંચ્યા વિના પણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે. પાઠશાળાઓ અને નિશાળમાં ભણ્યા વિના પણ જ્ઞાનની વૃદ્ધિ થઈ શકે છે. આપણું દેશની પ્રાચીન સ્ત્રીઓએ તેનાં ઉત્તમ દષ્ટાંત આપણને પૂરાં પાડયાં છે. તે સન્નારીઓમાં પ્રાય: કોઈને પણ લખતાં વાંચતાં આવડતું નહતું છતાં તેમના જેવી ધાર્મિક વ્યકિતઓ પૃથ્વીમાં ડીજ થઈ હશે. તે આદર્શ નારીઓએ પુસ્તકનું વાંચન કર્યું ન હતું તેથી તે સર્વ મૂર્ખ હતી, એમ કહેવાનું કેઇનાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy