SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મતત્તવ જો કે મધમાંસ વિગેરે આયુષ્ય, સન્ન બળ, આરોગ્ય, સુખ, તથા પ્રીતિવૃત્તિમાં વૃદ્ધિ કરે છે કે નહિ? મા-માંસમાં શા શા ગુણે તથા અવગુણ રહેલા છે તેને ખુલાસો તેમની પાસેથી મેળવી લે. શિષ્ય –હિંદુ શાસ્ત્રકારોએ તે તેને નિષેધ કર્યો છે. ગુર-મારા વિચાર પ્રમાણે હિંદુ શાસ્ત્રકારોએ મદ-માંસને નિષેધ કરવામાં ખોટું કર્યું નથી. “અનુશીલન 'તત્વ એજ તેમના ધર્મોપદેશનું મૂળ હતું; કારણ કે મધ-માંસ અનિષ્ટકારી, અનુશીલનને હાનિકર તથા જેને તમે ધર્મ કહે છે તેને વિનકર હેવાથી એને નિષેધ કરવામાં તેઓએ વાબીજ કર્યું છે. શિષ્ય –ાઈ પણ અવસ્થામાં શું માનો વ્યવહાર નજ કરે? ગુર–જે પીડિત વ્યક્તિની પીડા મઘ સિવાય બીજા કશાથી શાંત ન થાય એમ હાય, તેને માટે જ તેનો ઉપયોગ કરી શકાય. તથાપિ એક અવસ્થા એવી પણ છે કે જે સમયે ચિકિત્સક કે વૈજ્ઞાનિકોની આજ્ઞાની રાહ ન જોતાં પરિમિત મદ્યપાન કર્તવ્ય છે. શિષ્ય –એવી કયી અવસ્થા છે? ગુરુ –યુદ્ધ સમયની અવસ્થા એજ મારો કહેવાનો આશય છે. યુદ્ધકાળે માપાન ધર્માનુકૂળ લેખાય છે તેનું કારણ માત્ર એટલું જ છે કે જે જે વૃત્તિઓના બળથી યુદ્ધક્ષેત્રમાં વિજય મળી શકે તે તે વૃત્તિ પરિમિત મદ્યપાનથી વિશેષ બળવાન બને છે. આ સિદ્ધાંતને હિંદુશાસ્ત્ર પણ યોગ્ય માન આપે છે. મહાભારતમાં લખ્યું છે કે જયદ્રથવિધના દિવસે એક અજુન શત્રુની સેનાને ભેદીને શત્રુઓની મધ્યમાં જઈને ઉભો રહ્યો હતે. યુધિષ્ઠિરને આખા દિવસમાં અર્જુન સંબંધી કાંઈ સમાચાર મળ્યા નહિ તેથી તેઓ વ્યાકુળ ચિત્ત બેસી રહ્યા હતા. તે સમયે પાંડવસેનામાં સાત્યકિ સિવાય બીજો એકકે એ વીર યોદ્ધો નહતો કે જે શત્રુઓની મધ્યમાં જઈ અર્જુનના સાચા સમાચાર લઈ આવે. યુધિષ્ઠિરે સાત્યકિને આ દુષ્કર કાર્ય કરવાની રજા આપી. તેના ઉત્તરમાં સાત્યકિએ ઉત્તમ પ્રકારના મદ્યની પ્રાર્થના કરી. યુધિષ્ઠિરે પોતે તેને ઉત્તમ પ્રકારને મઘ આણું આપે. માર્કંડેય પુરાણમાં પણ જણાવ્યું છે કે સ્વયં કાલિકાને અસુરનો વધ કરતાં પહેલાં સુરાપાન કરવું પડયું હતું. ૧૮૫૭ ને મહાન બળ થયો તે વખતે ચિનહેરના યુદ્ધમાં અંગ્રેજી સેનાને હિંદુ તથા મુસલમાનોની સેનાએ પરાજિત કરી હતી. સ્વયં સર હેનરી ઑરેન્સ તે યુદ્ધમાં અંગ્રેજ સેનાને નાયક હો, છતાં તેમને હાર ખાવી પડી હતી. અંગ્રેજી ઇતિહાસલેખકે સર જોન રે તેના કારણે આપતાં એક કારણ એવું પણ બનાવ્યું છે કે તે દિવસે અંગ્રેજ સેનાને જરૂરગે મદ્ય મળી શકયા નહોતા. એ કારણ છેક અસંભવિત નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy