SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ મિતત્વ ગુરુ –“શામાટે તજી દેતા નથી ” એનો અર્થ સમજી લે. “તજી દેતા નથી. તેનું કારણ માત્ર એક જ છે અને તે એજ કે તજી શકતા નથી, કારણ કે વખત જતાં દારૂ પીવાની લાલસા એક વ્યાધિ સમાન બની જાય છે. ડોકટરે તેને ડિસેમેમીઆ' કહે છે. તેને માટે દવા અને ચિકિત્સા છે. રેગીની એકલી ઇચ્છા માત્રથી તે રોગ દૂર થઈ જતો નથી. રેગીને રોગ દૂર કરવા એ વૈદ્યના હાથમાં છે. દવા નિષ્ફળ જાય તે રોગનું અનિવાર્ય પરિણામ રેગીને સહન કર્યા વિના ચાલે નહિ–અર્થાત મૃત્યુદેવ પોતે આવીને રેગીને ઉદ્ધાર કરે. દારૂડી માણસ દારૂ છોડી દેવા માગતા નથી, એમ આપણાથી કહી શકાય નહિ, પણ છોડી દઈ શકતા નથી એમ કહેવું એજ વાજબી છે. જોકે ગમે તેમ કહે, પરંતુ હું તે ખાત્રીપૂર્વક માનું છું કે દારૂડીયાની ટોળીમાંથીજ દારૂ છોડી દેવાની ઉત્કંઠાવાળા અનેક માણસો તને મળી આવશે. જે દારૂડીયો માણસ અઠવાડીયામાં એકવાર દારૂ પીએ છે તે આજે એમ કહી શકશે કે “દારૂ પીવો શામાટે તજી દઉં ?” કારણ કે તે વખતે તેની દારૂ પીવાની ઇચ્છા અત્યંત બળવાનપણે તેનામાં વર્તાતી હોય છે. બળવાન બનેલી દારૂની તૃષ્ણાજ તેના મુખમાંથી ઉક્ત શબ્દો બહાર કઢાવે છે; પરંતુ જે મનુષ્યની દારૂ પીવાની તૃષ્ણ પરિતૃપ્ત થાય છે તે મનુષ્ય પોતે જ પોતાને જગતના સર્વ મનુષ્યો કરતાં વિશેષ દુ:ખી માનવા લાગે છે. કેવળ દારૂ પીવાના સંબંધમાંજ આ વાત લાગુ પડે છે એમ નથી. વસ્તુત: સર્વ પ્રકારની ઈયિવાસનાઓનું એ પરિણામ અનિવાર્ય છે. એક વ્યભિચારી મનુષ્ય પોતાની વિષયવાસનાને બેકાવી દે તો તેનું ફળ એક ખાસ પ્રકારના રોગરૂપે તેને સહન કરવું પડે. તેને માટે પણ આષધ છે અને ઓષધ નિષ્ફળ થાય તે મૃત્યુ પોતે અકાળે આવીને તેને રોગમાંથી મુક્ત કરે છે. મને મારા એક ડાકટર મિત્રે એક રોગીના સંબંધમાં એવી વાત કરી હતી કે “અમુક રેગી મનુષ્ય એટલે બધો વ્યભિચારી હતું કે છેવટે તેને હાથ-પગ બાંધીને ઇસ્પીતાલમાં લાવવો પડે અને ત્યાં તેના હાથ-પગ ઉપર તથા બીજા અંગ-પ્રત્યંગ ઉપર છરી અને સૂઈ વતી કેટલાક જખમો ર્યા ત્યારે તે શત થયે.” બહુ ભોજન કરનારા પેટભરાઓની વાત તે તેં સાંભળી જ હશે. એક એવા માણસને મને છેડા વખત ઉપર પરિચય થયે હતો. તે માણસ ભોજન વખતે એટલું બધું ઠાંસી ઠાંસીને ખાતે કે છેવટે તેને સંગ્રહણીને રોગ લાગુ પડશે. સુધાવૃત્તિને હદ ઉપરાંત પિષણ આપવાથી કેવાં ભયંકર પરિણામ આવે છે તે સર્વને પરિચિત છે. તે માણસ પોતે મૂર્ખ પણ ન હતું. તે સારી રીતે સમજતો હતો કે વધારે પડતું ભજન કરવાથી કઈ રીતે લાભ નથી, અને તે માટે ખાવાના લેભને સંયમમાં રાખવાને પણ પ્રયત્ન કરતો. પરંતુ સુધાત્તિનું અયોગ્ય અનુશીલન તેનામાં એટલું બધું બળવાન થઈ ગયું હતું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy