SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ [ 3 ] ધર્મ જીજ્ઞાસુ અકબર “ ખરેખર, પૃથ્વીસિ’હજી, ” કમળાદેવી વચ્ચેજ એટલી ઉઠી. “ઈશ્વર અમારા ઉપર રૂઠ્યો છે. શી સિક્રિની દીનાવસ્થા અન્ન વિના ટળવળીને રાજપૂતા પોતાના પ્રાણ ત્યાગે છે. જ્યાં ત્યાં ભૂખ્યાં માણસાની કાન ફાડી નાંખે એવી કિકિઆરીએ સંભળાય છે. સંતાપ, ચેાક અને આક્રંદ સિવાય સિક્રિમાં હવે કઈજ રહ્યું નથી. આ કરતાં પ્રલય કાળથી સર્વ સાથેજ મૃત્યુ પામીએ તે કેવું સારૂં ! ” આટલું ખેલતાં ખેલતાં કમળાનાં નેત્રમાંથી અશ્રુ ભરાઈ આવ્યાં. તેણે પેાતાની ઓઢણીના છેડાથી અશ્રુ લુછી નાંખ્યાં. તેના નેત્રામાં વિલક્ષણ પ્રકારનું તેજ દેખાવા લાગ્યું. તેની મુખમુદ્રા માહક જણાવા લાગી. તેણે પેાતાના આઇ પીસ્યા. પૃથ્વીસિંહૈ આ દશ્ય સ્તબ્ધ થઈને જોયાંજ કર્યું. અલ્પ સમયમાં સભા બરખાસ્ત થવાની તૈયારી થવા લાગી. પ્રત્યેક રાજપૂત અમરસિંહને પ્રણામ કરીને ત્યાંથી જવા લાગ્યા. સાની પાછળ પૃથ્વીસિંહ અને તેના બે મિત્રા ચાલતા હતા. પૃથ્વીસિંહ અમરસિંહુને પ્રણામ કર્યો. કમળાદેવી તે ત્રણે મિત્રાને મુકવા સારૂ દાદર ઉતરીને નીચે આવી તે અને પૃથ્વીસિહુને ઉદ્દેશીને ખાલી: “ પૃથ્વીસિ’હું ! પ્રતિજ્ઞાનુ નિરંતર સ્મરણ કર્યો કરજો હા કે ? ” “ જ્યાંસુધી આ દેહમાં પ્રાણ છે, ત્યાંસુધી તેનું કદે પશુ વિસ્મરણ થવાનું નથી ! ” કમળાદેવી પ્રત્યે એકી ટસે તાકી રહેલા પૃથ્વીસિંહ આલ્યા. કમળાદેવી સહેજ આગળ આવી અને પૃથ્વીસિંહના કર્ણ પાસે મ્હાં રાખીને ધીમે સ્વરે બોલી: “ અમરસિંહમાં ચેાગ્યતા છે. તેનામાં અનેક સદ્ગુણ છે; પરંતુ તેના સામર્થ્ય ના વિકાસ થાય તેમ નથી. આપ તેને મદદ કરશે તા હું આપના અત્યંત ઉપકાર માનીશ. ” “ તે તમારા શું સગા થાય છે ? ” પૃથ્વીસિંહ માશ્ચર્ય પામતાં પ્રશ્ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034493
Book TitleDharm Jigyasu Akbar Ane Acharya Hirsuriji
Original Sutra AuthorN/A
AuthorDalpatram Bhaishankar Raval
PublisherDevchand Damji Kundlakar
Publication Year1921
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy