SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ [૮] . ધર્મ જસાસુ અકબર. અણધાર્યો હુકમ સાંભળીને દિલગીર થઈ નિરાશ વદને પોતપિતાના સ્થાન તરફ પાછા વળ્યા. અલ્પ સમયમાં જ ટેડરમલ ચંપાને લઈને એક રાજમહાલય પાસે આવી પહોંચ્યો અને તેને તમા નામની એક બાંદીને સ્વાધીન કરી. ચંપાને બીલકુલ અન્ન ખાવા ન મળે તે બાબતને પક્કો બંદેબસ્ત રાખવાની સૂચના ફાતમાને કરીને ટેડરમલ ચાલ્યા ગયે. સાતમા ચંપાને લઈને રાજમહાલયના ઉપરના ભાગમાં જવા લાગી. દાદર પર ચડતાં ચડતાં ચંપા વિચારવા લાગી કે, જગત ગમે તેમ માને, પરંતુ બાદશાહ અકબર સદ્દગુણી, વિવેકી અને તવરસિક છે એ હું દઢતાપૂર્વક જોઈ શકી છું. હારી પરીક્ષા લેવામાં તેને શે ઉદ્દેશ સમાયેલું હશે! બાદશાહની પ્રીતિ હિન્દુ ધર્મ પ્રત્યે દિન પ્રતિદિન વધતી જાય છે, તે આમાં તેના જ હાથે જૈન ધર્મને વિજયધ્વજ ફરકવાને દેવી સંકેત તે નહિ હોય ! પ્રકરણ ૨ જું. નિમત્રણ જનાનખાનામાં ગયા પછી બાદશાહે અલ્પ સમયમાં જ પિતાનું નિત્યનું કામ આજે ઝટપટ આપી લીધું, અને કપડાં પહેરીને તે પુનઃ દિવાનખાનામાં આવ્યો. દરરોજ હવારના નવ વાગ્યા પછી અકબરને બહાર જવાનો નિયમ હતે; છતાં આજે તેણે તેમ કર્યું નહિ. હવારમાં પિતે કરેલ હુકમમાં ધી સાહસ થયું હોય તેમ તેના હદયમાં થતું હતું, ને તેથી તેનું ચિત્ત ઉદ્વિગ્ન હતું. | દિવાનખાનામાં આવ્યા પછી આદશાહ એકવિરામાસનપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
SR No.034493
Book TitleDharm Jigyasu Akbar Ane Acharya Hirsuriji
Original Sutra AuthorN/A
AuthorDalpatram Bhaishankar Raval
PublisherDevchand Damji Kundlakar
Publication Year1921
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy