SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ આહુતિ. [૧૫] " આટલું બોલતામાં કમળાનું હૃદય ભરાઈ આવ્યું. તે અકબરના માનવાચક શબ્દોમાં આશંકા થતાં થરથરવા લાગી, પિતાની માંદગીમાં તેને બાદશાહ પ્રત્યે પ્રેમ જાગૃત થયે હત, એકાંત કુટીરના સમાગમમાં તે પોષાય હતે અને અહીં ના વસવાટ પછીની મુલાકાતેમાં તે નવપલ્લવિત થયે હતે; છતાં આગલા દિવસની પદ્યાની કહાણીના આતાપથી તે છેક સુકાઈ ગયું હતું, તે બાદશાહ કયાંથી સમજી શકે! કમળાના વર્તનમાં આટલું ન ધારેલ પરિવર્તન જોઈ અકબર આશ્ચર્ય પામે. તેના થરથરાટમાં કંઈ દૈવી બળ જોયું. તેના ખરતાં અમૃઓ જાણે મેતી ઢળી પડતાં હોય તેમ વહેમાયે. અને જે કમળાના પાછળ હઠવાથી ખડખડાટ ન થયો હોત તે, પોતાની પાસેને રૂમાલ પાથરીને ખરતાં મોતી જીલી લેવા અને તેના ચરણે ઢળી પડવાની ઉતાવળ પણ કદાચ તે કરી નાખત, પરંતુ કમળાના પાદસ્પર્શથી થયેલા અવાજે તેને સાવચેત કર્યો. કમળાની પ્રેમ દષ્ટિમાં આ જાદુઈ ફેરફાર કેમ થઈ ગયો હશે? તે સમજી શકે નહિ. તેણે મારી જીલવાના કામમાં ખીસામાંથી ખેંચી કાઢેલ રૂમાલ કમળા તરફ ફેંકતાં કહ્યું. “કમળા, આ તું શું કરી રહી છે? લે, રૂમાલથી તારું માં લુછી નાંખ. રાજપુતેની મંડળીને તલવારની ધારે નચાવતી, અને નેક તથા ટેકને માટે અડગ હૈય–બળ અને બુદ્ધિ આપનારી કમળા, કદી પણ રડી શકે જ નહિ. કમળા,હમેશની તારી મીઠી વાણી, હસમુખો ચહેરે, અમૃત વર્ષાવતાં પ્રેમ નયને અને ભલભલા રાજકુશળને પણ હંફાવે તેવી વાતને સ્થાને આ હું શું જોઉં છું? રાજમહાલયમાં માંદગીના બિછાને તે અપેલ હદય, સમય આવ્યે કયાં છુપાઈ ગયું? પૃથ્વીસિંહ તરીકેના સારા તરફના હદયેગારને સ્થાને અત્યારે અશ્ર અને અધૂર્ય કેમ દેખાય છે? તારી આ લાગણીઓને માન આપવા, તારા ઉપકારના બદલામાં તેને સર્વદા મારીજ કરી લેવાને આજે હું તારે આંગણે આવ્યો છું, ત્યારે તારામાં આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034493
Book TitleDharm Jigyasu Akbar Ane Acharya Hirsuriji
Original Sutra AuthorN/A
AuthorDalpatram Bhaishankar Raval
PublisherDevchand Damji Kundlakar
Publication Year1921
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy